Question
‘એક જ દે ચિનગારી’ શિર્ષકની યથાર્થતા ચર્ચો.

Answer

‘ચિનગારી' એટલે નાનો અગ્નિનો તણખો અને મહાનલ એટલે મોટો અગ્નિ - પરમાત્મા એટલે કે મોટા અગ્નિ પાસેથી નાના તણખાની કવિ માંગણી કરે છે. પરમાત્માએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યુ છે. સૂર્ય, ચંદ્ર, આભ બનાવ્યું છે. પરમાત્મા પાસે કાવે એક નાની યાચના કરે છે એક જ્ઞાનરૂપી, પ્રકાશરૂપી ચિનગારી - તણખો માંગે છે.
મનુષ્યને હંમેશાં ઈશ્વરને - પરમાત્માને પામવાની ઝંખના હોય છે પણ મનુષ્ય જીવનમાંથી દુઃખ, આફતોમાંથી એક પરમાત્મા જ મુક્ત કરાવી શકે. મનુષ્યના અંધકારમય જીવનને પ્રકાશ આપવાનું કામ ઈશ્વર- પરમાત્મા કરે છે. મૃત્યુથી મોક્ષ તરફની ગતિ મનુષ્યને કરવી છે. કવિએ આ ઝંખના વ્યક્ત કરી છે. જીવાત્માની ઉત્કટ આરઝૂ પૂરી કરવા પરમાત્મા પાસે ફકત એક જ ચિનગારી - તણખો જોઈએ છે. તો એ મળતાં કવિ માને છે કે જીવાત્માને પરમાત્માનો  સાથ મળી જશે. પરમાત્મા પોતે તો જ્ઞાનનો-પ્રકાશનો ભંડાર છે. એમાંથી એક ચિનગારી આપવી એ મુશ્કેલ નથી. પરંતુ કવિ કહે છે કે એ ચિનગારી પામવા આપણી પણ ઉત્કટ ઝંખના હોવી જોઈએ.
કવિએ એક જ દે ચિનગારીમાં ઈશ્વરકૃપાની તીવ્ર ઝંખના સુંદર રીતે આલેખી છે. કાવ્યને અપાયેલું શીર્ષક યોગ્ય છે. પરમાત્મા મહાનલ છે તેમાંથી એક ચિનગારી મળી જાય તો કાયમ માટે મોક્ષ મળી જાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'મારૂ ઘર' માં વતનપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.
ગવતરી લોકગીતનુ કથાવસ્તુ તમારા શબ્દોમાં વર્ણવો
‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.
શ્રીકૃષ્ણને જગાડવા માટે કયા કયા કારણો આપ્યા છે તે સવિસ્તાર જણાવો.
સુદામાપત્ની સુદામાને શ્રીકૃષ્ણ પાસે જઈ દરિદ્રતા દુર કરવા માટે કયા ક્યાં દ્રષ્ટાંતો આપે છે તે સવિસ્તાર જણાવો.
કવયિત્રીએ પાણીના ટીપાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલું સહવાસનું મહત્વ સમજાવો.
‘પુજારી તું પાછો જા’ કાવ્યનું શીર્ષક સમજાવો.
‘પિતાની સેવા’ કાવ્યમાંથી પ્રગટતો પિતૃવાત્સલ્યનો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
ઈશ્વર પુજારીને પાછો જવાનું શા માટે કહે છે? આ વાત કાવ્યને આધારે સમજાવો.
“પુસ્તક” ની જન્મ યાત્રાનાં અલગ-અલગ તબક્કાની પાઠતાં આધારે નોંધ કરો.