કાન્તિના ગામમાં જુદી જુદી જ્ઞાતિના માણસો રહેતાં હતાં. લાલજી મચી, પરસૌત્તમ સુથાર, પરસોત્તમ દરજી, ભગવાન કોલ્ડિંગના માલિક, ભગત પાનવાળા, કંચનમાસી અને તેના વર – જેવાં સાધારણ પણ નીતિવાન માણસો રહેતાં હતાં. કાન્તિને બાની ગેરહાજરીમાં આવતી યાદ વિશે લખો. ઉત્તર કાન્તિને બાની ગેરહાજરી સતત સાલે છે, વારંવાર તેને એમ લાગે છે કે હમણાં બા આવીને પોતાને પાણી આપશે કે રસોડામાં જઈને રાંધશે કે રીસ ચડાવીને બીજે બેઠી હશે. ઓસરીની કોરે ઊભી હશે કે મધુરું-મધુરું હસતી હશે – એમ કાન્તિને વારંવાર આભાસ થયા કરે છે. બા નથી નો ખ્યાલ જ કાન્તિના મનમાં બંધબેસતો નથી, બા નથી નો અભાવ તેને દુ:ખી કરે છે.