Question
કર્ણનુ પાત્રાલેખન કરો.

Answer

કર્ણ એ 'દાનેશ્વરી' શબ્દનો પર્યાય છે એમ કહેવામાં કોઈ અસિશયોકિત નથી. સૂર્યપુત્ર હોવા છતાં સૂતપુત્ર તરીકે ઉછેર્યો ને મોટો થયો. 'બ્રાહ્મણ' પુત્ર હોવાનું ખોટું બોલી ગુરૂ પરશુરામ પાસેથી ધનુષ્યવિઘા શીખીને મહાન બાણેશ્વરી બન્યો:
આટલી પ્રસ્‍તાવના પછી ‘કર્ણ-કુંતી સંવાદ' ના કર્ણ તરફ નજર કરીએ તો તેની કઠોરતા કહો, વીરતા કઢો, મુત્સદ્દોગિરી કહો - જે નામે ઓળખો તે,' પરંતુ બબ્બે પૂજ્ય : માતા કુંતી અને કૃષ્ણ બંનેની ઈચ્છા / આજ્ઞાની અવજ્ઞા કરવાનું બળ કર્ણ ધરાવે છે. માતા કુંતી કર્ણને જણાવે છે કે તે તેની મા છે, પાંચ પાંડવોનો તે જયેષ્ટ ભાઈ છે. યુદ્ધ હજુ શરૂ થયું નથી; તું દુ્યોધનનો સાથ છોડી યુધિષ્ઠિરની સાથે આવી જા ! આ પ્રસ્‍તાવ ઠુકરાવવા માટે કર્ણ પાસે કારણ હતું. જયારે સૌ કોઈ કર્ણને સૂતપુત્ર કહી, અપમાનિત કરીને તેની વારંવાર અવગણના / અવહેલના કરતા હતા ત્યારે દુર્યોધન એક માત્ર એની સાથે રહ્યો, તેને અંગદેશનો રાજા બનાવ્યો - અને સૌથી મહત્ત્વની વાત, કર્ણના પરાક્રમ પર ભરોસો રાખી દુર્યોધન પાંડવો સામે યુદ્ધ કરવા ધનગની રહ્યો હતો.
કર્ણમાં આટલો અંધ-વિશ્વાસ એક ક્ષત્રિય મહાબલિ મૂકે તેજ કર્ણની વીરતા ને મર્દાનગી  દર્શાવે છે. આ પરાક્રમી કર્ણ, માતાની ઈચ્છા સ્વીકારી નથી શક્તો તેનું દુ:ખ અનુભવી શકે છે. મિત્ર દુર્યોધન ખોટા રસ્તે, ખોટી જીદ કરીને, આગળ વધી રહ્યો છે એ જાણવા છતાં વાસુદેવ કૃષ્ણ જે રસ્તો બતાવે છે, તે પર જવાની ઈચ્છા હોવા છતાં જઈ નથી શક્તો, આ તે કેવી લાચારી ! કમનસીબ કર્ણ, જન્મથી તે જીવનના અંત સુધી પળે - પળે ને  સમયાંતરે લાચારી, અપમાન તેમજ બેવશતા સહન કરતો રહે છે. વિધિની વિચિત્રતા એટલે કર્ણ ! સૂર્યદેવ બધાને તેજ ને પ્રકાશ આપે છે. પરંતુ પોતાના ખુદના પુત્રને 'અંધકાર' સિવાય કેમ કાંઈ આપી શક્યા નહિ હોય !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પેપરનાં જન્મથી “પુસ્તક’ ની સફરને વેગ મળ્યો. પાઠનાં આધારે આ સત્ય તપાસો ને સમજાવો.
‘કુસુમાયુધ’ નાં પાત્ર દ્વારા બાળમાનસની સચોટ છબી ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. આ વિધાન ની ‘ખરી માં’ પાઠનાં આધારે સચોટતા જણાવો.
કલ્યાણીના લગ્નની તારીખ નક્કી થયા પછીના જીદુનાથનાં મનોભાવોને વર્ણવો.
‘મિલકત વધવાની સાથે ઈચ્છાશંકર નો મુલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો’ તેમ શા પરથી કહી શકાય?
કલ્યાણીના લગ્ન પછીની જીદુનાથની વેદના અને તેનું પરિણામ વર્ણવો.
કુંતીનું ચારિત્ર ચિત્રણ લખો.
ઇટાલિયન યુગલને કુસ્કોમાં શા માટે અઠવાડિયું રોકાઈ જવું પડ્યું?
‘ઈચ્છાશંકર’નુ પાત્રાલેખન કરો.
આ કાવ્યમા રજુ થયેલુ વસંતૠતુનુ સૌંદર્ય તમારા શબ્દોમા વર્ણવો.
‘આંટી’ શીર્ષકની યોગ્યતા સમજાવો.