Questions

મુદ્દા પરથી વાર્તા

🎯

Test yourself on this topic

13 questions · timed · auto-graded

Question 14 Marks
એક રાજા – એશ આરામવાળી જિંદગી – ઊંઘ ન આવવી - ચિંતા થવી – અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા - નિષ્ફળતા – એક વૈદની યુક્તિ – જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી રાજાને આપવાં – ગેડી દડાની રમતથી રોગ દૂર થવો-વૈદને ઈનામ-બોધ.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 24 Marks
[મુદ્દા : એક સાબર હતું - તળાવના પાણીમાં પોતાનો પડછાયો જોઈને રૂપાળાં શીંગડાના વખાણ કરે છે – પાતળા પગ છે તેનું દુઃખ વ્યક્ત કરે છે – અચાનક વાધની ગર્જના થાય છે – સાબર ભાગે છે. - વાઘ પાછળ રહી જાય છે – સાબર જંગલમાં પહોંચે છે. - ઝાડ સાથે શીંગડા ભેરવાઈ જાય છે – સાબરને અફસોસ થાય છે. - જે પગને હું વગોવતું હતું તેણે બચાવ્યું પણ શીંગડાઓને લીધે મરવાનો વારો આવશે.]
Answer
સાબરનાં રૂપાળાં શીંગડાં એક હતું સાબર. તે તળાવને કાંઠે ઊભું હતું. તળાવનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. તેમાં તેનું પ્રતિબિંબ પડતું હતું. પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તે મનોમન વિચારવા લાગ્યું : વાહ! કેટલાં સુંદર છે મારાં શીંગડાં! બીજા કોઈ પશુને આવાં રૂપાળાં શીંગડાં નથી. પણ મારા આ પગ? પાતળા અને દૂબળા છે એનું જ મને દુ:ખ છે." એટલામાં નજીકમાં જ ધ્રુજાવી દે એવી વાઘની ગર્જના તેને સંભળાઈ. સાબર તો છલાંગ મારતું જાય નાઠું. વાઘ પણ તેનો પીછો કરતો દોડ્યો. સાબર આગળ અને વાઘ પાછળ. દોડવે જાય..... દોડો જાય! સાબરે પોતાની ઝડપ એકદમ વધારી દીધી. વાથ તો ક્વાંય પાછળ રહી ગયો. સાબર તો જીવ બચાવવા દોડતું દોડતું ગાઢ જંગલમાં પહોંચી ગયું. પણ એને ખબર ના રહી ને એનાં શીંગડા અચાનક એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં. તેણે ડાળીઓમાંથી સીંગડાં કાઢવા ખૂબ મથામણ કરી પણ તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું : "મારા પાતળા દૂબળા પગને મેં ખોટા વગોવ્યાને! તેણે તો મને વાથના પંજામાંથી બચાવ્યું. પણ જે શીંગડાંનાં મેં વખાણ કર્યાં એ શીંગડાં જ હવે મારા મોતનું કારણ બનશે." આમ વિચારતા સાબર પર વાઘે પાછળથી તરાપ મારી તેને ફાડી ખાધું. શીર્ષક : સુંદરતાનો ગર્વ ન કરવો.
View full question & answer
Question 34 Marks
આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો : [મુદ્દા : એક હતી મધમાખી- ઉડતા ઉડતા તળાવમાં પડી - ડૂબવા લાગી - તળાવકિનારે ઝાડ ઉપર કબૂતર બેઠું હતું - કબૂતરે ડૂબતી મધમાખીને જોઈ-ઝાડનું પાંદડું તોડી મધમાખી પાસે નાખ્યું - મધમાખી તેના ઉપર ચઢી ગઈ - પાંખો સુકાઈ જતાં ઊડી ગઈ - દિવસો પછી શિકારી આવે છે —કબૂતરને મારવા જતાં શિકારીને મધમાખી કરડે છે - કબૂતર બચી જાય છે.]
Answer
મઘમાખી અને કબૂતર એક હતી મધમાખી, એક વખત તે ઊડતી ઊડતી તળાવ ઉપર થઈને જઈ રહી હતી. અચાનક તે તળાવમાં પડી ગઈ. તેની પાંખો ભીની થઈ ગઈ. તેનાથી ઊડી શકાયું નહિ. તે પાણીમાં ડૂબવા લાગી. તેને લાગ્યું કે પોતે હવે મરી જશે. તળાવકિનારે એક ઝાડ ઉપર એક કબૂતર બેઠું હતું. તેણે મથમાખીને પાણીમાં તરફડિયાં મારતી જોઈ. તે ઝાડ પરથી એક પાંદડું તોડી ચાંચમાં લઈને ઊડયું. તેણે તળાવમાં મઘમાખીની પાસે તે પાંદડું નાખ્યું. મથમાખી ધીમે ધીમે પાંદડા પર ચઢી ગઈ. થોડી વારમાં તેની પાંખો સુકાઈ ગઈ. તે ઊડીને કબૂતર પાસે આવી અને તેનો આભાર માન્યો. થોડા દિવસો પછીની વાત છે. એક છોકરો આ કબૂતર તરફ ગલોલ તાકતો હતો. તે વખતે કબૂતર ઝાડની ડાળી ઉપર બેઠું બેઠું ઊંઘતું હતું. એ જ વખતે અચાનક મધમાખી ત્યાં આવી ચડી. તેણે છોકરાને ગલોલ તાકતો જોયો. મઘમાખી ઊડીને છોકરા પાસે પહોંચી અને તેના હાથે ડંખ માર્યો. છોકરાના હાથમાંથી ગલોલ નીચે પડી ગઈ. ડંખની પીડાથી તે ચીસો પાડવા લાગ્યો. તેની ચીસોથી કબૂતર જાગી ગયું. તેણે છોકરા પાસે ઊડતી મથમાખીને જોઈ. તે સમજી ગયું. તેણે પોતાની જિંદગી બચાવવા માટે મથમાખીનો આભાર માન્યો અને હરખાતું હરખાતું ઊડી ગયું. શીર્ષક : ભલાઈનો બદલો ભલાઈ છે.
View full question & answer
Question 44 Marks
આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો : [મુદ્દા : એક લાવરી હતી- મકાઈના ખેતરમાં માળો બાંધી રહેતી હતી – પાક તૈયાર થઈ ગયો હતો - તેથી લાવરી બચ્ચાઓને બીજે જવાનું જણાવે છે - ખેડૂત પાડોશીઓ-સગાંઓની મદદથી પાક કાપવાનું વિચારે છે - એટલે લાવરી બચ્ચાઓને લઈને બીજે જતી નથી – આખરે ખેડૂત જાતે જ પાક કાપવાનું વિચારે છે - એટલે લાવરી બચ્ચાઓને લઈને ઊડી જાય છે.]
Answer
લાવરી અને તેના બચ્ચાં: એક હતી લાવરી, તે તેના બચ્ચાં સાથે મકાઈના એક ખેતરમાં માળો ભાંપીને રહેતી હતી. જ્યાં સુધી મકાઈનો પાક લણવા જેવો ના થાય, ત્યાં સુધી તે સ્થળે તેઓ ખૂબ સલામત હતાં. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, “હવે પાક લણવા માટે તૈયાર થઈ ગયો છે. આપણે આ માળો છોડીને કોઈ બીજી જગ્યાએ જવું પડશે." બીજે દિવસે ખેડૂત ખેતર જોઈ બબડયો, “પાક લણવા માટે તૈયાર થઈ ગયો છે. કાલે મારાં સગાંને બોલાવી પાક લણવાનું શરૂ કરાવીશ." સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાં બોલી ઊઠયાં, "મા.... મા! ખેડૂત કહેતો હતો કે આવતી કાલે તે તેનાં સગાં સાથે પાક લણવા આવશે." લાવરી બોલી, "ડરો નહિ, બેટા! તે ખેડૂત કાલે પાક લણી શકશે નહિ." A બીજે દિવસે સવારે ખેડૂત પાક લણવા ખેતરમાં આવ્યો, પણ તેનાં કોઈ સગાં આવ્યાં નહિ. તેથી તે નિરાશ થઈ ઘેર પાછો હર્યો. તે બોલ્યો, “કંઈ નહિ. કાલે મારા પડોશીઓને પાક લણવા માટે બોલાવી લાવીશ. એ તો જરૂર આવશે જ.” લાવરીને બચ્ચાઓએ આ વાત કહી અને માળો તરત જ છોડી દેવા લાવરીને જણાવ્યું. લાવરી બોલી, "નહિ બેટા! આપણે અહીંથી જવાનો સમય હજી નથી આવ્યો." લાવરી જાણતી હતી કે કોઈ પડોશી ખેડૂતને પાક લણવા મદદમાં આવશે નહિ અને એમ જ થયું. ખેડૂત બબડયો, “પારકાં પર આધાર રાખવો જોઈએ નહિ. હવે કાલે હું જાતે જ આ પાક લણવા આવીશ." સાંજે લાવરી આવી. બચ્ચાં તેને વીંટળાઈ વળ્યાં. તેણે પૂછ્યું. " ५५?" ભચ્ચાંઓએ ખેડૂતની જાતે પાક લણવાની વાત જણાવી. લાવરીએ બચ્ચાંઓને કહ્યું, "હવે આપણે આ માળો છોડી દેવો ૫ડશે. કાલે ખેડૂત આ પાક ચોક્કસ લણશે જ." શીર્ષક : જાત મહેનત ઝિંદાબાદ
View full question & answer
Question 54 Marks
આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો : [મુદ્દા : એક ખેડૂતને પાંચ દીકરો- ખૂબ જ લડતા - ખેડૂત ખૂબ સમજાવે પણ માને નહીં - ખેડૂતે ઉપાય શોધ્ધો - લાકડીની ભારી આપીને તોડવા કહ્યું – ભારી ન તૂટી - પછી એક એક લાકડી આપીને તોડવા કહ્યું - લાકડી તૂટી ગઈ - દીકરાઓને સંપીને રહેવા કહ્યું.]
Answer
ખેડૂત અને તેના દીકરા એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા હતા. ખેડૂતની ઇચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશાં ચિંતાતુર રહેતો. આ છોકરાઓ સંપીને રહે તે માટે કશુંક કરવું જોઈએ. એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાઓને પોતાની પાસે ભોલાવી કહ્યું, “જુઓ, આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના તમારામાંથી આખી ભારી કોણ તોડી શકે છે?" ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો. પછી પેલા પરડા ખેડૂતે કહ્યું. “ચાલો, લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાંખો.” દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી. પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું, "એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત ન હતી. પણ એ જ લાકડીઓ ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પાંચેય જણ પણ સંપથી રહેશો તો મજબૂત બનશો. પરંતુ લડી-ઝપડીને અલગ અલગ એશો તો કમજોર બનશો." શીર્ષક: સંપ ત્યાં જંપ
View full question & answer
Question 64 Marks
એક લુચ્ચો માણસ –દેવું ચુકવવાની નાં-કોર્ટમાં દાવો-લુચ્ચા માણસે વકીલ રોક્યો –વકીલની સીખ બેબે બોલજે-ન્યાયધીશનું તેનોગાંડો ગણી નિર્દોષ જાહેર કરવો –વકીલે ફીની માંગણી કરી –જવાબ માં બેબે બોલીને છુટી જવું .
Answer
શીર્ષક : વકીલની ભૂલ અથવા હાથના કર્યા હૈયે વાગ્યાં એક ખુબ જ લુચ્ચો માણસ હતો. તે ઘણા બધા લોકો પાસેથી પૈસા ઉછીના લઇ આવતો પણ જયારે પૈસા ચૂકવવાનો સમય આવે ત્યારે કોઈને કોઈ બહાના બતાવી છટકી જતો હતો. તેના આવા સ્વભાવથી બધા લેણદારો કંટાળી ગયા. એક લેણદારે તેની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો. લુચ્ચો માણસ કેસ દાખલ કર્યો તેથી ગભરાઈ ગયો. તે એક વકીલની પાસે સલાહ લેવા ગયો. વકીલ હોશિયાર હતો. તેણે આ લુચ્ચા માણસને બચાવવાની એક યુક્તિ શોધી કાઢી. તેણે કહ્યું, જો તારે નિર્દોષ છૂટવું હોય તો મને પાંચ હજાર ફી પેટે આપવા. લુચ્ચા માણસે કહ્યું કે હું નિર્દોષ છૂટી જાઉં એટલે ફી આપી દઈશ. વકીલે તેનામાં વિશ્વાસ મૂકી યુક્તિ સમજાવી કે ન્યાયાધીશ જે સવાલ પૂછે તેના જવાબમાં ફક્ત ‘બેં બેં’ એટલો જ જવાબ આપવો. લુચ્ચો માણસ રાજી થઇ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે પેલા લુચ્ચા માણસને અનેક પ્રશ્નો પૂછ્યા પણ તે જવાબમાં બેં બેં જ કરતો આથી કંટાળીને તેને ગાંડો સમજી નિર્દોષ છોડી મૂક્યો. લુચ્ચો માણસ આનંદમાં આવી ગયો ને ઘરે જવા લાગ્યો. ત્યારે પેલા વકીલે તેને રોકીને ફીના પૈસા માગ્યા. તો લુચ્ચો માણસ કહે ‘બેં બેં’. વકીલ જોતો જ રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બોધપાઠ : આપણી ભૂલ આપણને જ નડે છે, વિચાર્યા વિના કોઈનું કામ ના કરવું.
View full question & answer
Question 74 Marks
દૂધવાળો દૂધ વેચવા જાય છે – રસ્તામાં નદી – દુધના ઘડામાં પાણી મેળવે છે – નફો કમાઈ પાછો વળે છે – નદીમાં પાણી પીવા જાય છે – અડધા પૈસા પાણીમાં પાડીને તણાઈ જાય છે – અફસોસ – બોધ
Answer
શીર્ષક : દૂધનું દૂધ ને પાણીનું પાણી અથવા અતિલોભ તે પાપનું મૂળ રેવા નામનો એક દૂધવાળો હતો. તે દરરોજ પોતાની ગાયોનું દૂધ શહેરમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે શહેરમાં દૂધ વેચવા જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં વચ્ચે નદી આવી. નદીમાં પાણી જોઈ રેવાના મનમાં લાલચ ઊભી થઇ. તેને થયું કે હું મારા ઘડામાં થોડું દૂધ ભેગું પાણી મેળવી દઉં તો આખો ઘડો ભરાઈ જશે ને મને રોજ કરતાં આજે વધારે પૈસા મળશે. આ ખરાબ વિચારને તેણે તરત અમલ કર્યો. દૂધના ઘડામાં પાણી ઉમેરી દીધું. આ દૂધ વેચીને તેને રોજ કરતાં વધારે રૂપિયા મળ્યા. તે તો ખુશ થતો પાછો ઘર તરફ આવવા નીકળ્યો. રસ્તામાં ફરી નદી આવી. તેને તરસ લાગી હતી એટલે નદીના વહેણ પર ઝૂકીને પાણી પીવા માંડ્યું. એવામાં તેના ખિસ્સા(ગજવા) માંથી થોડા પૈસા પાણીમાં પડી ગયા ને નદીના પ્રવાહમાં જતા રહ્યા. ગોપાલે જોયું તો ખિસ્સામાં થોડાક જ પૈસા હતાં. આથી તેને સમજાયું કે થોડું દૂધ હતું. એના જ પૈસા તેને મળ્યા છે.બાકી પાણીના પૈસા તો પાણીમાં ચાલ્યા ગયા છે. તેણે કરેલી ભૂલ બદલ અફસોસ થયો. લાલચ કરવા બદલ તે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. બોધપાઠ : જેટલી મહેનત કરીએ એટલું જ આપણને વળતર મળે છે. વધારે લોભ ના રાખવો જોઈએ.
View full question & answer
Question 84 Marks
એક સંકડો પુલ – બે કુતરાઓનુ સામસામું આવવું – બનેનું ઝઘડવું – નદીમાં પડવું – એ જ પુલ પર થઇ બે બકરી ઓનું સામસામું આવવું – બંને સમજદાર – એક બકરીનું બેસવું અને બીજી બકરીનું તેના પરથી પસાર થવું – બોધ
Answer
શીર્ષક : સમજુ બકરીઓ એક નદી પર બે ગામને જોડતો એક સાંકડો પુલ હતો. આ પુલ પરથી એક જ વ્યક્તિ પસાર થઈ શકે એટલી જગ્યા હતી. લોકો તેનો અવરજવર માટે ખાસ ઉપયોગ નહોતા કરતા. કેમ કે ગામલોકો માટે નજીકમાં બીજો પુલ હતો. એક વખત એ પુલ પર બે કૂતરાઓ સામસામે આવી ગયા. બંને એકબીજાને ભસી પાછળ જવા કહેવા લાગ્યા. સામસામે લડવા – ઝઘડવા લાગ્યા. બંને એવું ઝઘડ્યા કે નદીમાં પડી ગયા ને મૃત્યુ પામ્યા. એ જ પુલ પર બે બકરીઓ સામસામે આવી ગઈ. બંને બકરીઓ સમજુ હતી. તેમેણે વિચાર્યું કે બંને સાથે તો આ પુલ પરથી પસાર થઇ શકીશું નહી. તો એક બકરી બેસી ગઈ ને બીજી બકરી તેની ઉપરથી પસાર થઇ ગઈ. બોધપાઠ : આ વાર્તા પરથી બોધ મળે છે કે જીવનમાં મુસીબત આવે તો ઝઘડો ના કરવો. સંપીને આગળ વધીએ તો માર્ગ મળી જ રહે છે. સમજદારી રાખવાનો બોધ આ વાર્તા પરથી મળે છે.
View full question & answer
Question 94 Marks
એક કંજૂસ-વાડામાં રૂપિયા દાટવા – દરરોજ રાતે રૂપિયા ગણવા – ચૌરનું જોઈ જવું – રૂપિયા કાઢી લેવા અને કાંકરા મુકવા – કંજૂસ ને જાણ – માંથું કુટ્વું – પડોશીનું મહેણું “હવે કાંકરા ગણજે” – બોધ
Answer
શીર્ષક : કંજુસાઈનું પરિણામ એક ગામમાં ધનનંદન નામનો અમીર માણસ રહેતો હતો પણ તે બહુ જ કંજૂસ હતો. ‘ચમડી તૂટે પણ દમડી ન છૂટે’. તેને વાડામાં ખાડો કરી એક ઘડામાં રૂપિયા દાટી રાખ્યા હતા. ધનનંદન કંજૂસ સાથે વહેમી પણ હતો. તે દરરોજ રાત્રે વાડામાં જાય, ખાડામાંથી રૂપિયાનો ઘડો કાઢે, ગણે ને પાછા મૂકી દે આવો તેનો રોજનો ક્રમ હતો. એકવાર તે રૂપિયા ગણતો હતો તે ચોર જોઈ ગયો. બીજા દિવસે ધનનંદન રૂપિયા ગણવા આવે તે પહેલાં જ ખાડામાંથી ઘડો કાઢી રૂપિયા લઇ લીધા ને તેમાં કાંકરા ભરી દીધા, દરરોજના નિયમ પ્રમાણે ધનનંદન રૂપિયા ગણવા આવ્યો. ખાડામાંથી ઘડો બહાર કાઢ્યો તો તેનાથી એક ચીસ પડાઈ ગઈ. આ શું ? પથ્થરો ? તેની ચીસ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા. પાડોશીઓ તેના કંજુસાઈભર્યા સ્વભાવને જાણતા જ હતા. આથી મહેણું મારતા બોલ્યા “હવે રોજ કાંકરા ગણજો”. બોધપાઠ : વાર્તા પરથી બોધ મળે છે કે જો આપણી પાસે ધન હોય તો કંજૂસાઈ ના કરતાં તેનો સદ્ઉપયોગ કરવો. બીજાને ઉપયોગી થાય એવાં કાર્યો કરવાં.
View full question & answer
Question 104 Marks
એક પ્રવાસી –મોડી રાતે ધર્મશાળાનું બારણું ખખડાવું અંદરથી રખેવાળાનો જવાબ –ચાવી ખોવાય ગઈ –તમારે પાસે ચડીનીજ ચાવી હોય તોજ દરવાજો ઉઘડે –પ્રાવાસીનો તડમાંથી ચાંદીનો રૂપિયો સર્કાવવો –દરવાજો ઉઘ્ડવો –પ્રાવાસીની ચતુરાઈ –રખેવાળને સામાન લેવા બહાર મોકલવો –દરવાજો બંધ કરી લેવો –રખેવાળે દરવાજો ખખડાવવો –પ્રાવાસીનો જવાબ –ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉઘડે –રખેવાલનું સમજીજવું-દરવાજૂ ઉઘ્ડવો .
Answer
શીર્ષક : પ્રવાસીની ચતુરાઈ શિયાળાની ઠંડી પડી રહી હતી. એવા સમયે એક રાત્રે કોઈ પ્રવાસી ધર્મશાળાની શોધમાં આમથી તેમ ભટકી રહ્યો હતો. અચાનક તેને એક ધર્મશાળા મળી. ત્યાં જઈને જોયું તો ધર્મશાળાનો દરવાજો અંદરથી બંધ હતો. પ્રવાસીએ દરવાજો ખખડાવ્યો. રખેવાળ જાગીને આવ્યો ને બોલ્યો ‘કોણ ? શું કામ છે તમારે ? પ્રવાસી કહે, હું એક પ્રવાસી છુ. મને આજની રાત ઉતારો જોઈએ છે. રખેવાળ કહે દરવાજો ખૂલે તેમ નથી. ચાવી તો ક્યાંક મુકાઈ ગઈ છે. જો તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ખૂલી શકે પ્રવાસીએ આથી બારણાંની તડમાંથી એક ચાંદીનો રૂપિયો અંદર સરકાવ્યો. રૂપિયો લઇ લેતાં રખેવાળે દરવાજો ખોલ્યો. પ્રવાસી ચતુર હતો. તેણે ધર્મશાળામાં પ્રવેશી રખેવાળને કહ્યું ‘મારો સામાન બહાર છે તમે જરા લઇ આવો’. રખેવાળ સામાન લેવા બહાર ગયો કે પ્રવાસીએ ધર્મશાળાનું બારણું બંધ કરી દીધું. રખેવાળે પાછા આવીને બારણું ખખડાવ્યું. પ્રવાસી કહે, ‘ચાવી તો તમારી પાસે છે’. પ્રવાસીની ચતુરાઈ રખેવાળ સમજી ગયો ને લીધેલા ચાંદીનો રૂપિયો પાછો આપીને દરવાજો ખોલાવ્યો. બોધપાઠ : કોઈની સાથે લુચ્ચાઈ ના કરવી. તમે જેવું કરો તેવું જ પરિણામ ભોગવવું પડે છે.
View full question & answer
Question 114 Marks
લુચ્ચો દુકાનદાર અને ગરીબ ગ્રાહક – ગરીબ ગ્રાહક નુ માળ-સમાન લેવા જવું – દુકાનદારે ઓછું તોળવું - ગરીબ ગ્રાહકે દુકાનદારને માલ બરાબર આપવા જણાવવું – વધારે ઊંચકવું નહિ પડે એમ દુકાનદારે કહ્યું – ગ્રાહકે ઓછા પૈંસા આપવા – દુકાનદારે પુરા પૈસા માટે માંગણી કરવી – વધારે પૈસા ગણવા નહિ પડે – ગ્રાહકનો જવાબ.
Answer
શીર્ષક : ગ્રાહકની ચતુરાઈ અથવા શેરને માથે સવાશેર એક નાનું ગામ હતું. ગામમાં એક વેપારી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ વેચતો હતો. આ વેપારી- દુકાનદાર બહુ લુચ્ચો હતો. ગામમાં એક જ દુકાન એટલે તે ગરીબ ગ્રાહકો પાસેથી પૈસા વધારે લેતો અને માલ ઓછો આપતો. એકવાર એક ગરીબ ગ્રાહકે તેને ત્યાંથી થોડો સામાન લીધો. આ ગરીબ ગ્રાહકે જોયું તો દુકાનદાર ત્રાજવાથી દાંડી એવી રીતે પકડતો કે તોલમાં ઓછુ આવે. ગ્રાહકે કહ્યું કે તમે માલ – સામાન બરાબર તોલીને તો આપો. તો લુચ્ચો દુકાનદાર કહે કે તમારે વધારે ઊંચકવું નહી પડે. ગ્રાહક ગરીબ હતો પણ હોશિયાર હતો. તેણે વિચાર્યું કે આ લુચ્ચા દુકાનદારને પાઠ તો ભણાવવો જ પડશે. તેણે માલ – સામાન લીધો ને તેના જેટલા પૈસા થતાં હતાં તેનાથી ઓછા આપ્યા. દુકાનદારે કહ્યું કે તમે માલસામાનના પુરા પૈસા આપો. ગ્રાહકે કહ્યું કે તમારે વધારે પૈસા ગણવા નહિ પડે. દુકાનદારને તેની લુચ્ચાઈનો જવાબ મળી ગયો. બોધપાઠ : દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. કદી લોભ- લાલચ ના રાખવા. અતિલોભ તે પાપનું મૂળ છે.
View full question & answer
Question 124 Marks
એક ચોરનું ચોરી કરીને ભાગતા એક મહાત્માની કથાના ટોળામાં છુપાઈ જવું – થોડા વાક્યો મનમાં ઉતરી જવા – બીજું કઈ નહિ તો સાચું તો બોલીશ જ એવું નક્કી કરવું – રાજાના મહેલમાં ચોરી – રાજા-પ્રધાન સામે સાંચુ બોલવું – પકડાઈ જવું – છ ને બદલે ચાર જ રત્ન ? રજાનો પ્રશ્ન –ચોરની સત્યતાની અને પ્રધાન ની ચોરી સમજવી – ચોરને ઇનામ – પ્રધાન ને સજા – અંત – બોધ
Answer
શીર્ષક : સત્યવ્રતી ચોર એક ચોર નાની મોટી ચોરી કરીને ગુજરાત ચલાવતો હતો. એક દિવસ ચોરી કરીને ભાગતાં તે લોકોનાં ટોળામાં ઘૂસી ગયો જેથી લોકો તેને પકડી ન પાડે. ત્યાં એક સાધુ મહાત્મા પ્રવચન કરી રહ્યા હતા. તેણે થોડું પ્રવચન સાંભળ્યું. ચોરને થયું કે સાધુ જે કહે તે બીજું તો કશું જ ન કરી શકાય, હા, એક વાત યાદ રાખી કે ખોટું ન બોલવું, સાચું જ બોલીશ એવું વ્રત લેવું. ચોરે વ્રત લઇ લીધું. પણ તેનો ધંધો તો ચોરીનો એટલે વિચાર્યું કે રાજાના મહેલમાં ચોરી કરવા જાઉં. તે રાજાના મહેલમાં ચોરી કરવા ઘૂસ્યો. તિજોરીમાં છ રત્નો પડેલાં. ચોરે વિચાર્યું કે મારું જીવન પસાર કરવા ચાર રત્નો પૂરતાં છે એટલે બે રત્ન તિજોરીમાં મૂકી દીધા ને ચાર રત્ન લઇ ચાલ્યો. ત્યાં અચાનક વેશપલટો કરીને નગરચર્યા જોવા નીકળેલા રાજા સામે મળી ગયા. તેમણે ચોરને ઊભો રાખી પૂછ્યું. ચોરે સાચી વાત કરી ચાર રત્ન બતાવ્યા. પ્રધાન તાપાસ માટે ગયો. તેણે જોયું કે બે રત્ન છે. ચાર ચોરાયેલા તો વિચાર્યું કે રાજાને ક્યાં ખબર પડશે એમ માની બે રત્ન પોતે રાખી લીધા ને રાજાને છ રત્ન ચોરાઈ ગયા છે એમ કહ્યું, રાજાએ ચોરને બોલાવ્યો. ચોરે બધી વાત કરી. રાજાએ કહ્યું કે ચોરે તેની જરૂરીયાત માટે ચોરી કરી જયારે પ્રધાન તો બધાના રખેવાળ કહેવાય. એ ચોરી કરે તો કેવું ! માટે ચોરને ઇનામ આપી વિદાય કર્યો ને પ્રધાનને ચોરી કરવા માટે સજા કરી. બોધપાઠ : આ પરથી બોધ મળે છે કે કદી લીધેલું વ્રત તોડવું નહી. ખરાબ કામની સજા આખરે મળે જ છે. જેવું કરીએ તેવું પામીએ.
View full question & answer
Question 134 Marks
$\quad$$\quad$$\quad$એક કઠિયારો – લાકડાં કાપવા જંગલમાં જવું – પાણી તરફ નમેલી ડાળ કાપવી – કુહાડીનું છટકવું – તળાવમાં પડી જવું – પાણીમાં જળદેવીનું પ્રગટથવું–સોનાની કુહાડી આપવી – કઠિયારાનો ઈનકાર – જળદેવીનું પાછા જવું – બીજી વખત ચાંદીની કુહાડી સાથે પ્રગટથવું – કઠિયારાનો ફરીથી ઈનકાર -જળદેવીનું પાછા જવું – મૂળ કુહાડી સાથે પ્રગટથવું – કઠિયારાને આપવી—કઠિયારાનું ખુશ થવું -કઠિયારાને જળદેવીનું ઈનામ – બોધ.
Answer
એક કઠિયારો લાકડાં કાપવા જંગલમાં ગયો. તે પાણી તરફ નમેલી એક ડાળ કાપતો રહ્યો. તે કુહાડી સાથે તગડતો રહ્યો. અચાનક કુહાડી છટકી ગઈ અને કઠિયારો તળાવમાં પડી ગયો. તળાવમાં જળદેવી પ્રગટ થઈ. જળદેવી તે કઠિયારાને પૂછે કે તે આડતી કુહાડી તેને આપે કે નહીં. કઠિયારાએ કહ્યું નહીં, કારણ કે તે કુહાડી તેની પોતાની છે.
જળદેવી ફરી એક વખત ચાંદીની કુહાડી લઈને આવી અને પુછ્યું, પરંતુ કઠિયારાએ ફરીથી નકારી દીધી. ત્યારબાદ જળદેવી ત્રીજી વખત પોતાની મૂળ કુહાડી લઈને આવી. તે વખતે કઠિયારાએ પોતાની કુહાડી જ જળદેવીને આપી દીધી.
જળદેવી ખૂબ ખુશ થઈ અને કઠિયારાને ઇનામમાં સોનાની કુહાડી આપી. આથી આ વાર્તાથી અમને બોધ મળે છે કે પોતાના જે પણ પ્રત્યે ખરો અને સચ્ચો હોવો જોઈએ અને સત્યતા રાખવી જોઈએ.
View full question & answer
મુદ્દા પરથી વાર્તા - Gujarati STD 10 Questions - Vidyadip