Question types

લેખન - સંક્ષેપીકરણ question types

34 questions across 3 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

34
Questions
3
Question groups
5
Question types
Sample Questions

લેખન - સંક્ષેપીકરણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો.
મુદ્દા : એક શિલ્પી - મૃત્યુની આગાહી - પોતાનાં જેવાં જ છ પૂતળા બનાવવા યમદૂતનું આગમન -મૂંઝવણ - યુક્તિ, 'હા ભૂલ મળી ગઈ' એમ બોલવું - શિલ્પીનો પ્રશ્ન 'કઈ ભૂલ' શિલ્પી પકડાઈ જવો - બોધ.
View full solution
એક શિલ્પી–મૃત્યુની આગાહી–પોતાનાં જેવાં જ છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન -મૂંઝવણ – યુક્તિ, “હા ભૂલ મળી ગઈ એમ બોલવું – શિલ્પીનો પ્રશ્ન, “કઈ ભૂલ’ શિલ્પી પકડાઈ જવો – બોધ.
View full solution
એક ખેડૂત –ચાર દીકરા–ચારેય દીકરા આળસુ-ખેડૂતને ચિંતા-ખેડૂતની માંદગી – ચારેય દીકરાઓને બોલાવવા – “ખેતરમાં રૂપિયા ભરેલો ચરુ છે” એમ કહેવું –ખેડૂતનું અવસાન-દીકરાઓએ આખું ખેતર ખોદી નાખવું – રૂપિયા ન મળવા –બી વાવવાં – સારો પાક થવો – શિખામણ.
View full solution
એક રાજા એશઆરામવાળી જિંદગી – ઊંઘ ન આવવી – ચિંતા થવી –અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા – નિષ્ફળતા – એક વૈદની યુક્તિ – જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી રાજાને આપવા – ગેડીદડાની રમતથી રોગ દૂર થવો – વૈદને ઇનામ – બોધ.
View full solution
ચાર ચોર –ચોરી કરવા જવું – પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું – બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું–બીજા બે ચોરની યુક્તિ-મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા – મીઠાઈ ખાવી -પરિણામ – બોધ.
View full solution
ભારતની ખરી દુર્બળતા તેની ગરીબાઈમાં નથી. ગરીબાઈને તો આપણે જીરવી શકીશું, પણ ભારતની સૌથી કમજોર કડી ધર્મઝનૂન છે. ઘાત-પ્રતિઘાતના રૂપમાં તેનો પડઘો વધતો જઈ રહ્યો છે, કારણ કે ધર્મઝનૂનનો મોટો ઢગલો અંતે તો પૂરા વળતર સાથે મતપેટીઓ છલકાવી દેવાની પ્રચંડ શક્તિ ધરાવતો થયો છે. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છીએ કે પૂરી ધર્મનિરપેક્ષતા, પૂરી કોમનિરપેક્ષતા કે પૂરી નોકરીનિરપેક્ષતાથી ઉચ્ચ અને મહાન આદર્શો સાથે ચૂંટણી લડી શકીએ તેમ નથી. જેમ યુદ્ધમાં બધું જ કર્તવ્ય બની જતું હોય છે તેમ ચૂંટણીમાં બધું જ આચરી શકાતું હોય છે. ચૂંટણીનો દોર મોટા ભાગે એવા લોકોના હાથમાં ચાલ્યો જતો હોય છે, જે ચોખ્ખા હાથના ના કહેવાય. ધર્મઝનૂન, કોમવાદ, ભ્રષ્ટાચાર, નોકરીવાદ અને અસામાજિકતા વગેરે મળીને નિશ્ચિત પરિણામ લાવતાં હોય છે. અનિષ્ટોનો પ્રભાવ તથા શક્તિ એટલાં વધી ગયાં છે કે ઇષ્ટ તત્વો બિચારાં બની ગયાં છે. – સ્વામી સચ્ચિદાનંદ
View full solution
‘સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે; તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ મળી ન શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું. આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યેક દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. – મહાત્મા ગાંધી
View full solution
શિસ્તના બે પ્રકાર છે : સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ' એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લૅન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલમિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તનો સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
View full solution
એક અરીસા ઉ૫૨ જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ', જે એમ વિચારે,છે કે ‘બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ' તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થી મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી, જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું.' આ નિઃસ્વાર્થવૃત્તિ ધર્મની કસોટી છે. – સ્વામી વિવેકાનંદ
View full solution
ગામનાં બાળકો, ગામનાં આંગણાં, ગામની શેરીઓ, ગામનાં કૂવા-તળાવ કે જાજરૂને હું જ્યારે ગંદાં જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હજુ આપણે સ્વચ્છતાના પ્રાથમિક સંસ્કારો પણ દૃઢ નથી કર્યા. એને લીધે જ આપણું આરોગ્ય ખોરવાઈ ગયું છે, અનેક ચેપી રોગોનો ફેલાવો થાય છે, આપણી પ્રગતિમાં પણ અનેક અંતરાયો આવે છે. અલબત્ત, આમાં આપણી ગરીબી બહુ મોટો ભાગ ભજવે છે, પણ મારું તો એવું દૃઢ માનવું છે કે સતત સ્વચ્છતાના સંસ્કારોની કેળવણી કર્યા કરવી એ જ એનો સાચો ઉકેલ છે. જો સ્વચ્છતાના સંસ્કારો દૃઢ થઈ જશે તો માણસ જે સ્થિતિમાં હશે એમાં પણ સ્વચ્છતા સાચવવાનો પ્રયત્ન કરશે. – બબલભાઈ મહેતા
View full solution
ભારતની ખરી દુર્બળતા તેની ગરીબાઈમાં નથી. ગરીબાઈને તો આપણે જીરવી શકીશું, પણ ભારતની સૌથી કમજોર કડી ધર્મઝનૂન છે. ઘાત-પ્રતિઘાતના રૂપમાં તેનો પડઘો વધતો જઈ રહ્યો છે, કારણ કે ધર્મઝનૂનનો મોટો ઢગલો અંતે તો પૂરા વળતર સાથે મતપેટીઓ છલકાવી દેવાની પ્રચંડ શક્તિ ધરાવતો થયો છે. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છીએ કે પૂરી ધર્મનિરપેક્ષતા, પૂરી કોમનિરપેક્ષતા કે પૂરી નોકરીનિરપેક્ષતાથી ઉચ્ચ અને મહાન આદર્શો સાથે ચૂંટણી લડી શકીએ તેમ નથી. જેમ યુદ્ધમાં બધું જ કર્તવ્ય બની જતું હોય છે તેમ ચૂંટણીમાં બધું જ આચરી શકાતું હોય છે. ચૂંટણીનો દોર મોટા ભાગે એવા લોકોના હાથમાં ચાલ્યો જતો હોય છે, જે ચોખ્ખા હાથના ના કહેવાય. ધર્મઝનૂન, કોમવાદ, ભ્રષ્ટાચાર, નોકરીવાદ અને અસામાજિકતા વગેરે મળીને નિશ્ચિત પરિણામ લાવતાં હોય છે. અનિષ્ટોનો પ્રભાવ તથા શક્તિ એટલાં વધી ગયાં છે કે ઇષ્ટ તત્વો બિચારાં બની ગયાં છે. – સ્વામી સચ્ચિદાનંદ
View full solution
‘સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ વચન વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે; તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તોપણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ મળી ન શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું. આવા વ્યાપક સત્યનારાયણનાં પ્રત્યેક દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે અને તે કરવાને ઇચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો. – મહાત્મા ગાંધી
View full solution
શિસ્તના બે પ્રકાર છે : સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ' એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લૅન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલમિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તનો સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
View full solution
એક અરીસા ઉ૫૨ જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ', જે એમ વિચારે,છે કે ‘બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ' તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થી મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી, જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું.' આ નિઃસ્વાર્થવૃત્તિ ધર્મની કસોટી છે. – સ્વામી વિવેકાનંદ
View full solution
ગામનાં બાળકો, ગામનાં આંગણાં, ગામની શેરીઓ, ગામનાં કૂવા-તળાવ કે જાજરૂને હું જ્યારે ગંદાં જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હજુ આપણે સ્વચ્છતાના પ્રાથમિક સંસ્કારો પણ દૃઢ નથી કર્યા. એને લીધે જ આપણું આરોગ્ય ખોરવાઈ ગયું છે, અનેક ચેપી રોગોનો ફેલાવો થાય છે, આપણી પ્રગતિમાં પણ અનેક અંતરાયો આવે છે. અલબત્ત, આમાં આપણી ગરીબી બહુ મોટો ભાગ ભજવે છે, પણ મારું તો એવું દૃઢ માનવું છે કે સતત સ્વચ્છતાના સંસ્કારોની કેળવણી કર્યા કરવી એ જ એનો સાચો ઉકેલ છે. જો સ્વચ્છતાના સંસ્કારો દૃઢ થઈ જશે તો માણસ જે સ્થિતિમાં હશે એમાં પણ સ્વચ્છતા સાચવવાનો પ્રયત્ન કરશે. – બબલભાઈ મહેતા
View full solution

Generate a લેખન - સંક્ષેપીકરણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App