સ્વાશ્રયથી ઘણા ઉત્તમ ગુણો ખીલી નીકળે છે ને તે ગુણોથી માણસ સુખી થાય છે અને પૂજય ગણાય છે. જે મહાન ગુણ સ્વાશ્રયથી ઉત્પન્ન થાય છે, તે સંતોષ છે અને તેથી તેની જોડે જ ધૈર્ય પણ ચાલ્યું આવે છે. સંતોષી અને ધૈર્યવાન સ્વાશ્રયી મનુષ્ય પ્રામાણિક અને ન્યાયી થાય છે. સ્વાશ્રય, સંતોષ, ધૈર્ય અને ન્યાય તથા પ્રામાણિકતા એટલા ગુણોનું નામ જ સ્વતંત્રતા કહેવાય છે. જેની તેની વાતની ના જ પાડ્યા કરવી, કે જેમાં-તેમાં દોષ કાઢવા કે સર્વનું અપમાન થાય તેવી ઉદ્ધતાઈ રાખવી, એનું નામ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા છે એટલે તે સ્વાશ્રયી છે. તે ઉદ્યોગી હોય, દયાળુ અને શુદ્ધ હોય એમાં કહેવું જ શું ? ટૂંકમાં સ્વાશ્રયથી સવૃત્તિનો ખરો ઉદય થાય છે, ને સર્વદા કલ્યાણ પેદા થાય છે. સ્વાશ્રય વિના કોઈ સુખી કે મોટું થઈ શક્યું નથી. વગવસીલાથી કે ખુશામત-ગુલામીગીરીથી કદાપિ કોઈને અધિકાર કે દ્રવ્ય પ્રાપ્ત થાય, પણ તે યોગ્ય રીતે દીપે કે ભોગવાય તે માટે સ્વાશ્રયની જ અપેક્ષા છે. સર્વત્ર સ્વાશ્રયી જ વિજયી છે.
$Q.1.$ માણસ સુખી અને પૂજય શાનાથી ગણાય છે?
$Q.2.$ સ્વાશ્રયી મનુષ્ય કેવો હોય છે?
$Q.3.$ સ્વતંત્રતા કોને કહેવાય છે?
$Q.4.$ સવૃત્તિનો સાચો ઉદય શાથી થાય છે?
$Q.5.$ પરિચ્છેદને ઉચિત શીર્ષક આપો.
View full solution →$Q.1.$ માણસ સુખી અને પૂજય શાનાથી ગણાય છે?
$Q.2.$ સ્વાશ્રયી મનુષ્ય કેવો હોય છે?
$Q.3.$ સ્વતંત્રતા કોને કહેવાય છે?
$Q.4.$ સવૃત્તિનો સાચો ઉદય શાથી થાય છે?
$Q.5.$ પરિચ્છેદને ઉચિત શીર્ષક આપો.