Question types

ગદ્યાર્થગ્રહણ / પદ્યાર્થગ્રહણ question types

8 questions across 2 question groups — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

8
Questions
2
Question groups
5
Question types
Sample Questions

ગદ્યાર્થગ્રહણ / પદ્યાર્થગ્રહણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

હું એક રમકડું સિંગાપુરથી સાથે લેતો આવ્યો છું;
કાગળ-પેટીમાં બે બળિયા પૂરી બગલમાં લાવ્યો છું.
એકે ભૂરી, લાલ બીજાએ, ચડ્ડી ટૂંકી ચડાવી છે;
બેય ઊભા પૈડાં પર બાંય ચડાવી; નીચે ચાવી છે.
ચાવી દીધી, મૂક્યા છુટ્ટા, તરત શરૂ બાથંબાથી;
‘લે તું!' ‘તું લેતો જા!' – ચાલો હસ્થે જાઓ અચંબાથી.
હમણાં લાલ હઠ્યો, ત્યાં તો ઓ ભૂરો લોથ થયો દીસે;
જોર કરી ઝીંકે મુક્કા, મસ્તક ભટકાય મહા રીસે.
પાછળ ખસતા, આગળ ધસતા, આખર તો રહે ત્યાંના ત્યાં,
ચાવી ઊતર્યું, હાથ વીંઝતા ફોગટ, ડોલે ઊભા જ્યાં,
આ દુનિયાની મહાપ્રજાઓની ચાવી શું ન ઊતરશે?
કે આને કઈ દઈએ ત્યમ, તુંય પ્રભુ, દીધા કરશે!
– ઉમાશંકર જોશીપ્રશ્નો :
$(1)$ કવિ પોતાની સાથે રમકડું ક્યાંથી લાવ્યા હતા?
$(2)$ કવિએ રમકડાને ચાવી ચડાવી છુટ્ટુ મૂકતાં શું થયું?
$(૩)$ રમકડાની ચાવી ઊતરતાં શું થયું?
$(4)$ કવિ દુનિયાની મહાપ્રજાઓને શું પૂછે છે?
View full solution
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,
આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની...

જય સોમનાથ ૦

ભક્ત સુદામા અને કૃષ્ણના મૈત્રીભાવ ભુલાય નહીં $(2)$
વૈષ્ણવજન તો તેને રે કહીએ, નરસૈયો વિસરાય નહીં $(2)$
જય દત્ત દિગંબર ગિરનારી, જય મહાવીર દાતારની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,

જય સોમનાથ ૦

હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી હળીમળી સૌ કામ કરે $(2)$
સૃષ્ટિના ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે $(2)$
જય સહજાનંદ, જય જલારામ, જય બોલો કાલિકા માતની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,

જય સોમનાથ ૦

– રમેશ ગુપ્તા


પ્રશ્નો :
$( 1 )$ કવિ કોની કોની જય બોલવાનું કહે છે?
$( 2 )$ કવિઓ સુવર્ણ અક્ષરે કોની યશગાથા લખશે?
$(૩)$ કોના મૈત્રીભાવ ભુલાય તેમ નથી?
$( 4 )$ ગુજરાતમાં ક્યા લોકો રહે છે? તે કેવી રીતે રહે છે?
View full solution
સાંજરે ને સવારે દઈ કાગળો નિત્ય તું માર્ગ તારે સિધાવે;
તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કો દી તું ભલા ઉર લાવે?
કેટલી માત કેરી દુવાઓ ભરી કેટલા પ્રેમીના પ્રેમભાવ?
કેટલા ઉર કૈરા નિસાસા ભર્યા? કેટલા હર્ષ કેરા સમાવ?
કેટલાં નેન તારી પ્રતીક્ષા કરે? કેટલા કર્ણ પદરવ સુણે છે?
'ના નથી પત્ર' એવું કહીને કદી શું ભર્યું આંખ સામે જુએ છે?
જાણતો કેટલા ચાંપતા છાતીએ? પત્રને ચુંબનો કેંક ચોડે?
કૈંક આંખો થકી આંસુડાંઓ વહી ભીંજવી શુષ્ક એ પત્ર દોડ?
- પ્રહ્લાદ પારેખ
પ્રશ્નો:
$(1)$ ટપાલી ક્યારે આવે છે?
$(2)$ લોકો ટપાલીની આવવાની રાહ કેવી રીતે જુએ છે?
$(૩)$ પત્રોમાં કેવી લાગણીઓ ભરેલી હોય છે?
$(4)$ પત્રો વાંચીને લોકો શું કરે છે?
View full solution
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે! મંદિર તારું.
નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો, સૂરજ, તારા રે. મંદિર તારું.
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ સારા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો ?
શોધે બાળ અધીરાં રે. મંદિર તારું.
- જયંતીલાલ આચાર્ય
પ્રશ્નો :
$(1)$ કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે ?
$(2)$ આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે ?
$(3)$ આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે ?
$(4)$ અધીરાં બાળકો કોને શોધે છે ?
View full solution
હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ તેમ અવાજનું પ્રદૂષણ ૨ પણ દિનપ્રતિદિન વધતું જાય છે. આ એક ચિંતાનો વિષય છે. ઘરમાં, શાળામાં, સભામાં કે રમતના મેદાન પર મોટેથી વાતો કરવી એ ૨ ટેવ છે. એવી જ રીતે રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો શિષ્ટાચારની વિરુદ્ધ છે. નવરાત્રિ કે લગ્નપ્રસંગે રાતે મોડે સુધી કાનના પડદા તોડી નાખે એવો લાઉડસ્પીકરનો અવાજ રાખવો એ સામાજિક ? દૂષણ છે. અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ શું આપણા હાથની વાત નથી?
આવો, આપણે સાથે મળી અવાજનું પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરીએ. = આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે : લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું.
પ્રશ્નો:
$(1)$ આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે?
$(2)$ કયા પ્રસંગોએ રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ – થાય છે?
$(3)$ શું કરવું શિષ્ટાચારની વિરુદ્ધ છે?
$(4) $અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું?
View full solution
અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દઢ થતા નથી એ જણાયું એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે. ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેકબુદ્ધિને ખીલવવી નથી પડતી. સરકસના મૅનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઊઠી જાય, ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે.
– કિશોરલાલ મશરૂવાલા
પ્રશ્નો:
$(1)$ આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ?
$(2)$ દરેક ક્રિયા કઈ ત્રણ રીતે કરી શકાય છે?
$(3)$ કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેકબુદ્ધિને ખીલવવી છે નથી પડતી?
$(4)$ ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે?
View full solution
     કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ઘરડો કહીએ છીએ. આવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા ઓછા નજરે પડે છે. તોય હજી એક જાતના ઘરડાઓ ઘણા છે. આ ઘરડાઓ તે કોણ? નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે. આવા ધરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું. થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી 'અમુક વસ્તુ શીખી લે' એમ કોઈ કહે તો તે ન બની શકે. આવી જડતા ભણેલા અને ગણેલા બંને વર્ગના હાડમાં ઊતરી ગઈ છે. જે આજ સુધી થયું નથી તે હવે પછી પણ થવાનું નથી, આમ માનવું તે ઘરડો તર્ક. આ ઘરડાને એમ કેમ નથી સમજાતું કે આજ સુધી નથી થયું એવું ભવિષ્યમાં થવાનું છે? આજ સુધી હું મરી ગયો નથી તેથી હવે પછી પણ મરવાનો નથી, એવા પરડા તર્કનો ભોગ બનવાથી ભારે હાનિ થાય છે.

– વિનોબા ભાવે 

પ્રશ્નો :
(1) આપણે કોને ઘરડો કહીએ છીએ? 
(2) એક સંતે ઘરડાની શી વ્યાખ્યા આપી છે? 
(3) ઘરડો તર્ક એટલે શું? 
(4) આ શબ્દોના સમાનાર્થી શોધીને લખો: નુકસાન, વિચાર

View full solution
     નદીની માતા સાથેની તુલના વધુ બંધબેસતી ગણી શકાય. -નદીને કાંઠે વસીએ એટલે દુષ્કાળની ચિંતા જ નહિ. મેથરાજા રૂઠે તો કહી ન શકાય, સહી ન શકાય એવો સંતાપ કરાવે, પણ નદી તો પાકને મૂરઝાઈ જતો બચાવી લે છે. નદીકાંઠાની અતિ શુદ્ધ અને સ્ફૂર્તિ આપનારી હવા લેવા જેવી હોય છે. આથી નદીકાંઠે હંમેશાં કરવા જવાથી મન પ્રસન્ન રહે છે. નદીને કાંઠે વસનારા લોકોની સમૃદ્ધિ નદી દ્વારા સર્જાયેલી હોય છે. નદી સાચે જ જનસમાજની માતા છે. નદીનું દર્શન થાય ત્યારે આપણા આનંદની કોઈ સીમા રહેતી નથી. જેના પાણીના ભંડાર કદી ખૂટતા નથી એવી પર્વતરાજની પુત્રીનાં દર્શન મનને મોટો આનંદ આપે છે. આથી જ યોગના સાધકો નદીને આપણા વંદનની અધિકારી ગણે છે.

- કાકા કાલેલકર

પ્રશ્નો :
(1) નદીની કોની સાથેની તુલના બંધબેસતી ગણી શકાય?
(2) નદીકાંઠે રહેનારને શાની ચિંતા રહેતી નથી? શા માટે?
(3) નદીકાંઠે કરવા જવાથી મન પ્રસન્ન કેમ રહે છે?
(4) નદી કોની પુત્રી કહેવાય છે?

View full solution

Generate a ગદ્યાર્થગ્રહણ / પદ્યાર્થગ્રહણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App