Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiવિચાર વિસ્તાર4 Marks
Question
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
✓
Answer
કોઈ પણ ઉપદેશ તેના આચરણ વિના અસર કરતો નથી.
ઉપદેશ આપવો સહેલો છે પરંતુ તેને આચરણમાં મૂકવો અઘરો છે. જ્યાં સુધી કોઈ બાબત આચરણમાં ન મુકાય ત્યાં સુધી તેની બીજા પર ધારી અસર થતી નથી. દરરોજ મોડા ઊઠનાર બીજાને વહેલા ઊઠવાનો બોધ આપે તો તેની અસર થતી નથી. આથી બુદ્ધ ભગવાને પોતે ગોળ ખાવાનું છોડી દીધા પછી બાળકને ગોળ ખાવાનો બોધ આપ્યો. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’ એ કહેવતમાં પણ પ્રથમ કોઈ બાબત આચરણમાં જ મૂકવાની શિખામણ છે.
આપણે સારી બાબતો આચરણમાં મૂકીએ. પછી ઉપદેશ આપવાની જરૂર રહેશે નહિ. આપણા સંપર્કમાં આવતા લોકો આપણું અનુકરણ કરતા થશે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.