Question
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.

Answer

કોઈ પણ ઉપદેશ તેના આચરણ વિના અસર કરતો નથી.
ઉપદેશ આપવો સહેલો છે પરંતુ તેને આચરણમાં મૂકવો અઘરો છે. જ્યાં સુધી કોઈ બાબત આચરણમાં ન મુકાય ત્યાં સુધી તેની બીજા પર ધારી અસર થતી નથી. દરરોજ મોડા ઊઠનાર બીજાને વહેલા ઊઠવાનો બોધ આપે તો તેની અસર થતી નથી. આથી બુદ્ધ ભગવાને પોતે ગોળ ખાવાનું છોડી દીધા પછી બાળકને ગોળ ખાવાનો બોધ આપ્યો. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’ એ કહેવતમાં પણ પ્રથમ કોઈ બાબત આચરણમાં જ મૂકવાની શિખામણ છે.
આપણે સારી બાબતો આચરણમાં મૂકીએ. પછી ઉપદેશ આપવાની જરૂર રહેશે નહિ. આપણા સંપર્કમાં આવતા લોકો આપણું અનુકરણ કરતા થશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આળસ જીવતા માણસની કબર છે,
નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન,
સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ;
ખીચું - કરડે પિંડીએ રીઝયું ચાટે મુખ,
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
ઊંચીનીચી ફર્યા કરે, જીવાનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
ઋણ, અગ્નિ તથા વ્યાધિ લેશમાત્ર રહી જતાં;
વધે ફરી ફરી, તેથી કદી ન બાકી રાખવાં.
મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ;
તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ.
દુ:ખીના દુ:ખની વાતો, સુખી ના સમજી શકે;
સુખી જો સમજે પૂરું, દુ:ખ ના વિશ્વાસમાં ટકે.
છે માનવી જીવનની ઘટમાળ એવી;
દુ:ખ પ્રધાને સુખ અલ્પ થકી ભરેલી.
મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે;
બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.