Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમુઘલ સામ્રાજ્ય3 Marks
Question
અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.
✓
Answer
અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિંદુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિંદુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નીમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિક્રીમાં 'ઇબાદતખાનું' (પ્રાર્થના મંદિર) બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને 'દીન-એ-ઇલાહી' નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ, અકબરની ધાર્મિકનીતિ ઉદાર અને પ્રશંસનીય હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.