Question
‘ખરી માં’ શિર્ષકની યથાર્થતા ચર્ચો.

Answer

'મા' શબ્દ કાને પડતાની સાથે વાત્સલ્ય અને વહાલ હૃદયમાં ઉભરાવવા માંડે છે . સાંભળનાર નાનું બાળક કેમ ન હોય? કુસુમાયુધની માતા તેને ચાર વર્ષનો મૂકીને ગુજરી ગઈ. મૃત્યુ શબ્દનો અર્થ સમજવા માટે આ ઉંમર ઘણી ઓછી કહેવાય. તેમ છતાં “મા” શબ્દની સમજણ માટે આ ઉમર નાની ન હતી. બાળમાનસ પર માતાની સતત રહેતી ગેરહાજરીની ઊંડી અસર થાય છે અને ઘરે આવનાર અન્ય કોઈ પણ સ્ત્રી , તેની માં જેવા પરિધાનમાં દેખાય, તો તેમાં પોતાની માતાને કુસુમાયુધની આંખો શોધવા માંડે છે.
તેના ઘરમાં જયારે અપરમા આવે છે, ત્યારે એક ક્ષણ માટે તો કુસુમાયુધને એમ લાગે છે કે આજ મારી મા બનીને આવી છે. આવા વિચારનાં સમર્થન માટે બાળક કુસુમાયુધ અને તેની અપરમા સાથે લેખક જે સંવાદોનું વર્ણન કરે છે - અને પ્રશ્નોત્તરીનાં આધારે બાળકમાં ઉદ્ભવતી નિરાશાનું જે વર્ણન કર્યું છે. તે વાંચકનાં હદયમાં પણ ઘેરી છાપ ઉત્પન્ન કરે છે. માંદગીનો પ્રસંગ, અપરમાના ઉપચાર માટેના પ્રામાણિક પ્રયાસ - તેમ છતાં માંદગીનો બીજો ઉથલો, અને અંતે જયારે અપરમા કુસુમાયુધનાં પ્રશ્નનાં ઉત્તરમાં “ઓ દીકરા, તારે માટે !” એવો ઉત્તર આપી બાળકને વ્હાલથી તેનાં મુખ પર ચૂંબન કરે છે અને જયારે તેને સોળમાં લઈને છાતી સરસો ચાંપે છે ત્યારે ખરા અર્થમાં કુસુમાયુધ તેને “ખરી મા” નાં સ્વરૂપમાં સ્વીકારે છે. પ્રસંગોની વિવિધતા, બાળ માનસની સુપેરે કરાયેલી રજુઆત તેમજ નવી પરણીને આવેલી સ્રીનાં હદયમાં જાગી ઉઠેલી “માતૃત્વની ભાવના” ખરા અર્થમાં આ પાઠના શીર્ષકને યોગ્ય બનાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નાટ્યખંડમાં નીરુપાયેલો માતૃપ્રેમ તમારા શબ્દોમાં લખો.
‘ઘા’ લઘુકથા નાં શિર્ષકની યોગ્યતા વિષે નોંધ લખો.
“માથાથી પગ સુધી લંબાઈની છ ફૂટ જમીનની જ એને જરૂર હતી!” આ વાક્ય સમજાવો.
કર્ણનુ પાત્રાલેખન કરો.
‘આત્માનો પરમાત્મા જોડેનો સંવાદ મૌનની મધુર મેડીએ જ શક્ય બની શકે’ – આ વિધાનને પાઠનાં આધારે સમજાવો.
કલામના જીવન દરમિયાન કયા ક્યા તબક્કે જલાલુદીનની મિત્રતાને અગત્યનો ભાગ ભજવ્યો? કેવી રીતે?
પાહોમનુ પાત્રાલેખન કરો.
‘દાદાજી’ નુ પાત્રાલેખન કરો.
પેપરનાં જન્મથી “પુસ્તક’ ની સફરને વેગ મળ્યો. પાઠનાં આધારે આ સત્ય તપાસો ને સમજાવો.
“પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે” આં વિધાન ની યથાર્થતા પાઠને આધારે સિદ્ધ કરો.