મહાભારત ગ્રન્થમાં અનેક પાત્રો છે. અલગ-અલગ પાત્રોની ખાસિયત, ગુણ-અવગુણ, સિદ્ધિ-પ્રસિદ્ધિ ને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે રજૂ થયેલાં આ તમામ પાત્રો પોતપોતાની રીતે મહત્ત્વનાં બની રહ્યાં છે
આ તમામ પાત્રને મુખ્ય બે વિભાગમાં વહેચીએ .- પુરુષપ્રધાન પાત્રો અને સ્રીપ્રધાન પાત્રો, તો કદાચ સ્રી પ્રધાન પાત્રોની મહત્તા વિશેષ ધ્યાન ખેંચે તેવી છે. કુંતી, ગાંધારી, દ્રોપદી - આ બધાં અગ્રિમ હરોળનાં સ્રી પાત્રો છે - 'કર્ણ-કુંતી સંવાદ' નાટ્યખંડમાં માત્ર બે જ પાત્રો છે. કર્ણ અને કુંતી કુંતીનું પાત્ર - એવા જુજ સ્ત્રી પાત્રોમાંનું એક છે, જે મહાભારતની કથાની શરૂઆતથી તે છેક અંત સુધી આવે છે. મહાભારતનાં પાંચ મહાનાયક “પાંડવો” ની માતા (૩ + ૨) + (+ ૧ ?) કુંતી માતા સુખદુ:ખમાં પાંડવોની સાથે જ રહ્યા છે. પતિ પાંડુરાજાનું અવસાન - પાંડવોની નાની વય દરમિયાન થતાં, તેમના ઉછેરની જવાબદારી માતા કુંતી પર આવી, જે તેમણે સારી ને સાચી રીતે નિભાવી. પાંડવોને જીવનની રાહમાં જાત જાતનાં ને ભાત-ભાતનાં સંકટોનો સામનો કરવો પડયો. વનવાસ પણ ભોગવવો પડ્યો. આમ છતાં સત્યનો સાથ ન છોડયો. સત્ય અને હક્ક માટે લડવા પણ તેયાર થયા. યુદ્ધના પ્રારંભ પહેલાં, કૃષ્ણએ માતા-કુંતીને જણાવ્યું કે તેઓ જાતે કર્ણ પાસે જઈને કર્ણ તેમનો જ પુત્ર છે એ સત્ય જણાવે ને પાંડવોના પક્ષમાં આવવા વિનંતી કરે ! આ વાત કુંતીમાતાને યોગ્ય લાગતાં કર્ણ પાસે જઈ આ બંને વાત કરે છે. પરંતુ દુર્યોધનનાં કર્મકરજ હેઠળ દબાયેલા કર્ણ માટે માતા કુંતીનો પ્રસતાવ અસ્વીકાર કરવા સિવાય અન્ય વિકલ્પ ન હતો. આ સંવાદને નાટચખંડનું હદય બનાવ્યું છે ને તેમાં બંને દિગ્ગજોની લાચારી - નિઃસહાયતા દર્શાવતા જે સંવાદો રચાયા છે, તે વાચક વર્ગ પર ઊંડી અસર છોડી જાય છે.
નાટકની શરૂઆતમાં જ, આશા, દ્વિધા; ઉમંગ ને લાચારીનાં ભાવ, કુંતી-કર્ણનાં સંવાદોમાં માતા કુંતીના મુખમાં મૂકાયેલા શબ્દોમાં ડોકાય છે - વિશેષ તો 'અપરાધ' નો ભાવ - અપરાધી હોવાની નિખાલસ કબૂલાત - કર્ણ પ્રત્યે, આજદિન સુધી અંતરમાં છુપાવી / દબાવી રાખેલા પુત્રપ્રેમને સંબંધની દિવાલ તોડીને છૂટો મૂકતાં માતા કુંતીનો દ્વિધાયુક્ત સંવાદ - આ બધાનું મિશ્રણ જે આ નાટ્ચખંડમાં રજૂ થયેલ છે તે અવિસ્મરણીય, અદ્ભુત ને અસરકારક છે, જે ડુંતીના પાત્રને, તેનાં ચરિત્રને સૂપેરે રજૂ કરે છે.