Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીઅહેવાલ5 Marks
Question
શાળાના શિક્ષકનો વિદાય સમારંભનો અહેવાલ લખો.
✓
Answer
શિક્ષકનો વિદાય સમારંભ
તા.$3-5-2017$ અમારી શાળા ‘જ્યોતિ વિધાલય’નાં ગુજરાતીનાં શિક્ષક શ્રી વાસુદેવભાઈ શુક્લ સાહેબ વયમર્યાદાને કારણે તા.$31-5-2017$નાં રોજ નિવૃત્તિ. છત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર શ્રી શુક્લ સાહેબનો વિદાય સમારંભ શાળામાં તા.$28-4-2017$ના રોજ રાખેલ હતો. અમે શાળામાં મુખ્ય મહેમાન તરીકે અમારા શહેરના ડી.ઈ.ઓ. હરેકૃષ્ણભાઈ વનમાળી સાહેબને બોલાવ્યા હતા. શ્રી શુક્લ સાહેબે પાંચ વર્ષ પહેલાં શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ મેળવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની પ્રાર્થનાથી થઈ. એક પછી એક શિક્ષકોએ અને વિધાર્થીઓએ શાળા વિશે અને શુક્લ સાહેબની કાર્યપદ્ધતિ અને મળતાવળા સ્વભાવ વિશે પ્રવચનો આપ્યા. શ્રી શુક્લ સાહેબને શાળાના શિક્ષકમિત્રોએ $51,000$ રૂપિયાનો ચેક અર્પણ કર્યો. આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ આપી તેમનું અભેવાદ્ન કર્યું. તેમજ ડી.ઈ.ઓ.શ્રી શાલ ઓઢાડી સન્માન કર્યું. શાકના વિધાર્થીઓએ સરસ્વતી માતાજીનો ફોટો આપી સન્માન કર્યું. અને તેમણે $75,000$નો ચેક શાળાની ટ્રસ્ટીમંડળની શાળાના વિકાસ માટે અર્પણ કરી દીધો. આચાર્યશ્રીએ શુક્લ સાહેબના $36$ વર્ષના નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયતા એવા શિક્ષણકાર્યને બિરદાવ્યું. ટ્રસ્ટીમંડળને શાળાના વિકાસ માટે અર્પણ કરી દીધો. શ્રી શુક્લ સાહેબ બોલવા ઊભા થયાં પણ લાગણીવશ થયેલા તેમનાથી કશું જ બોલી શકાયું ના હતું. ફક્ત બધાનો આભાર માન્યો. તેમની આંખોના આંસુ જોઈ સૌ કોઈ રડી પડ્યા. આમ શુક્લ સાહેબનો વિદાય સમારંભ સ્મરણીય રહ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.