Question 15 Marks
તમારી શાળામાં યોજાયેલ ધો. $12$ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ વિશે આશરે $100 ($સો$)$ શબ્દોમાં અહેવાલ લખો.
Answer
View full question & answer→સરસ્વતી વિધામંદિર-માણસામાં યોજાયેલ ધો$-12$ના વિધાર્થીઓનો વિદાય સમારંભ
માણસા. તા.$05-03-2017$ ધો$-12$ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા હોવાથી અને તેમનો અભ્યાસ પૂરો થતો હોવાથી તેમને વિદાય આપવા આ સમારંભ તા.$03-03-2017$ નાં રોજ અમારી સરસ્વતી વિધામંદિર શાળામાં યોજાયો હતો. સમારંભની શરૂઆત શાળાના ટ્રસ્ટીશ્રી ભટ્ટસાહેબે દીપ પ્રગટાવી કરી. શાળાના વિધાર્થી અને વિધાર્થિનીઓએ ‘ઇતની શક્તિ હમેં દે ન દાતા’ પ્રાર્થનાથી કરી. શાળાના ટ્રસ્ટીએ વિધાર્થીઓને શુભેચ્છા આપીને આશીર્વચન કહ્યાં, શાળાના આચાર્યશ્રી શાહસાહેબે વિધાર્થીઓની સભ્યાસ નિષ્ઠાને વખાણી હતી. વિધાર્થીઓને પરીક્ષા માટે જરૂરી સૂચનો આપ્યા. સંસ્થાના પ્રમુખ તરફથી દરેક વિધાર્થીને કંપાસ બોક્ષ અને બોલપેનની ભેટ આપવામાં આવી. વિધાર્થીઓમાંથી બે-ત્રણ વિધાર્થી ભાઈ-બહેનોએ શાળા વિશે અને શિક્ષકો, તેમજ શાળાની સુંદર કાર્યપદ્ધતિ વિશે પ્રવચનો આપ્યા. શાળાના જૂના સંસ્મરણો વાગોળતા કેટલાક વિધાર્થીઓ રડી પડ્યાં. આ પ્રસંગે વાલીમંડળ તરફથી વિધાર્થીઓને ધો$-12$ પછીની કારકિર્દીની તકોનાં વિતરણ કરવામાં આવ્યું. ધો$-12$ વીધર્થિઓએ શાળાને ભેટમાં આપ્યું. કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના સુપરવાઈઝર શ્રી અર્પણાબહેને કરી. ત્યારબાદ ગ્રુપફોટો ને અલ્પાહારનું આયોજન થયું હતું. બધા વિધાર્થી ભાઈ-બહેનોએ ભારે હૈયે શાળામાંથી વિદાય લીધી.
માણસા. તા.$05-03-2017$ ધો$-12$ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા હોવાથી અને તેમનો અભ્યાસ પૂરો થતો હોવાથી તેમને વિદાય આપવા આ સમારંભ તા.$03-03-2017$ નાં રોજ અમારી સરસ્વતી વિધામંદિર શાળામાં યોજાયો હતો. સમારંભની શરૂઆત શાળાના ટ્રસ્ટીશ્રી ભટ્ટસાહેબે દીપ પ્રગટાવી કરી. શાળાના વિધાર્થી અને વિધાર્થિનીઓએ ‘ઇતની શક્તિ હમેં દે ન દાતા’ પ્રાર્થનાથી કરી. શાળાના ટ્રસ્ટીએ વિધાર્થીઓને શુભેચ્છા આપીને આશીર્વચન કહ્યાં, શાળાના આચાર્યશ્રી શાહસાહેબે વિધાર્થીઓની સભ્યાસ નિષ્ઠાને વખાણી હતી. વિધાર્થીઓને પરીક્ષા માટે જરૂરી સૂચનો આપ્યા. સંસ્થાના પ્રમુખ તરફથી દરેક વિધાર્થીને કંપાસ બોક્ષ અને બોલપેનની ભેટ આપવામાં આવી. વિધાર્થીઓમાંથી બે-ત્રણ વિધાર્થી ભાઈ-બહેનોએ શાળા વિશે અને શિક્ષકો, તેમજ શાળાની સુંદર કાર્યપદ્ધતિ વિશે પ્રવચનો આપ્યા. શાળાના જૂના સંસ્મરણો વાગોળતા કેટલાક વિધાર્થીઓ રડી પડ્યાં. આ પ્રસંગે વાલીમંડળ તરફથી વિધાર્થીઓને ધો$-12$ પછીની કારકિર્દીની તકોનાં વિતરણ કરવામાં આવ્યું. ધો$-12$ વીધર્થિઓએ શાળાને ભેટમાં આપ્યું. કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના સુપરવાઈઝર શ્રી અર્પણાબહેને કરી. ત્યારબાદ ગ્રુપફોટો ને અલ્પાહારનું આયોજન થયું હતું. બધા વિધાર્થી ભાઈ-બહેનોએ ભારે હૈયે શાળામાંથી વિદાય લીધી.