Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiવિચાર વિસ્તાર4 Marks
Question
સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
✓
Answer
આ વાક્યમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સિંહને કદી પણ શસ્ત્રની જરૂર પડતી નથી. તે જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી.
સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા ગણાય છે. તે છે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી. વળી તેને શસ્ત્રોની જરૂર પડતી નથી. તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને હું પરાસ્ત કરી શકે છે. એ જ રીતે વીરપુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના યુદ્ધમાં ઝંપલાવે છે અને બહાદુરીપૂર્વક લડે છે. તે મરવાનું પસંદ કરે છે પણ રણ છોડીને ભાગી જતો નથી.
આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ. આપણે આપણી તાકાત વધારવી જોઈએ. આપણે મૃત્યુનો ડર રાખ્યા વિના વીરતાપૂર્વક અને ખુમારીથી જીવવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.