Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ3 Marks
Question
સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો.
✓
Answer
જે નિદર્શનમાં સમષ્ટિના એકમોને સમાન ગુણધર્મોવાળા જુદા જુદા સ્તરોમાં વહેંચી પ્રત્યેક સ્તરમાંથી યાદચ્છિક રીતે નિદર્શ લઈ તે બધાં નિદર્શના એકમો ભેગા કરીને નિદર્શ મેળવવામાં આવે તેને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહે છે. તેના ગેરલાભ નીચે પ્રમાણે છે :
ગેરલાભ :
સમષ્ટિને જુદા જુદા સ્તરોમાં વહેંચતી વખતે યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો પસંદ કરેલો નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ૨જૂ કરી શકે નહી.
સમષ્ટિના દરેક સ્તરમાંથી એકમોની યાદચ્છિક પસંદગીનું કાર્ય મુશ્કેલ છે. જો આ કાર્ય કુશળ વ્યક્તિઓ દ્વારા કરવામાં ન આવે તો પરિણામોમાં ચોકસાઈનું વાજબી ધોરણ જળવાતું નથી.
સ્તરિત યાદચ્છિક નિદર્શ પરથી સમષ્ટિના પ્રાચલનોનું આગણન કરવાનું કાર્ય એ કંદરે મુશ્કેલ છે.
સમષ્ટિને સમાંગ સ્તરોમાં વહેંચવાનું કાર્ય કેટલીકવાર મુશ્કેલ બને છે.
પ્રત્યેક સ્તરના એકમ સમાન ગુણધર્મવાળા ન હોય તો પરિણામોમાં ચોક્કસતા કે અસરકારકતા જળવાતી નથી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.