ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃપ્રેમરૂપી મેઘ તો બારેમાસ વરસતો રહે છે. ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશાં એકસરખો રહે છે. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. આ જગતમાં મધ મીઠું હોય છે અને મેઘ (વરસાદ) નું જળ મીઠું હોય છે પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.