Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ3 Marks
Question
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.
✓
Answer
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો: 1. દરેક પ્રશ્નાવલી સાથે તેને સબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે. 2. પ્રશ્નો ની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ.પ્રશ્નો ની સંખ્યા ઓછી રાખવાથી ઉતરદાતા પાસેથી સારા પ્રતિસાદ મળવાની ની શક્યતા રહે છે. 3. પ્રશ્નાવલિ માં પ્રશ્નો ની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. 4. લાંબી પ્રશ્નાવલિ ઉતરદાતા ને ખાસ કરીને પાછળ ના ક્રમના પ્રશ્નોના સાચા ઉતર આપવા બિનઉત્સાહી રહે છે. 5. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. 6. પ્રશ્નોના ના ક્રમ સામાન્ય પ્રશ્નો થી શરુ કરીને અભ્યાસ સબંધી ચોક્કસ પ્રશ્નો તરફ નો હોવો જોઈએ. 7. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.દા.ત.,ઉતરદાતા ના લગ્નજીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે. 8. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવો જોઈએ. 9. જે પ્રશ્નોના જવાબ હા/ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ પરંતુ જે પ્રશ્નો ના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.