લેખકે અણદાને, ઠંડીથી બચવા પોતાનું શર્ટ આપ્યું. અણદાએ આ શર્ટ કોઈ જરૂરિયાતમંદને આપી દીધું. આગળના શિયાળામાં ગામનાં તલાટીએ અણદાને ધૂંસો આપેલો, જે તેણે નિશાળ પાસે ત્રણ નાના છોકરાંઓ બેસતા, તેમને દશ-બાર દિવસ પછી આપી દીધેલો. ઉપરાંત ભીખમાં જે કાંઈ મળે તે અણદો પોતે જોઈએ તેટલું રાખી, બાકીનું ગરીબોમાં વહેંચી દેતો. અણદાની આ ભાવનાને લીધે તલાટી ગોપાલદાસ અણદાને “દાનેશ્વરી કર્ણનો અવતાર'' કહે છે.