Question
‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.

Answer

'એક જ દે ચિનગારી' કવિ હરિહર ભટ્ટનું ખૂબ જ સુંદર પ્રાર્થના ગીત છે. કવિની પ્રભુની કૃપા માટેની તીવ્ર ઝંખનાનું આલેખન આ કાવ્યમાં થયું છે. આત્માની ગતિ પરમાત્માને પામવા તરફ હોય છે. પરમાત્મા એ મહાનલ $($મોટા અગ્નિ$)$ સ્વરૂપ છે. પરમાત્માની કૃપા થાય તો ફકત એક ચિનગારી જ પૂરતી છે.
સમગ્ર જીવન અનેક મુસીબતો, તકલીફોમાં પસાર થયું. જીવનમાં અનેક વિપત્તિઓ આવી. આ વિપત્તિમાં મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરે છે તેની કૃપા મેળવવા ઝંખે છે. પરમાત્માને પામવા કવિ કહે છે કે આખી જિંદગી અર્થવિહોણા કાર્યમાં પસાર કરી દીધી. તોપના ધડાકા માટે જામગરીમાં એક ચિનગારી $-$ તણખો પૂરતો હોય છે. તેમ જીવનમાં પણ જ્ઞાનના પ્રકાશ માટે, આત્માના ઉધાર માટે પરમાત્મા તરફથી એક ચિનગારીની કવિની ઝંખના છે.
પરમાત્મા જ આકાશમાં ચાંદા અને સૂરજને પ્રકાશ આપે છે તો કવિ કહે છે કે શું મારા જીવનમાં નાનો અમથો પ્રકાશ ના આપે $?$ કવિની ધીરજ જાણે ખૂટવા માંડી છે. એટલે કવિ કહે છે કે ઠંડીમાં મારી કાયા થથરી.રહી છે જો નાની સગડી પ્રગટે તો ઠંડી દૂર થાય. એમ આ જીવનમાં વિપત્તિ$-$આપત્તિમાંથી ઉગરવા પરમાત્માના જ્ઞાનનો પ્રકાશ સહેજ ચિનગારી જેટલો જ જોઈએ છે. કવિની પરમાત્મા$-$ઈશ્વર તરફની અદમ્ય ઝંખના સુંદર રીતે વ્યક્ત થઈ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘પુજારી તું પાછો જા’ કાવ્યનું શીર્ષક સમજાવો.
કવયિત્રીએ પાણીના ટીપાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલું સહવાસનું મહત્વ સમજાવો.
‘પિતાની સેવા’ કાવ્યમાંથી પ્રગટતો પિતૃવાત્સલ્યનો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
‘ભવિષ્યવેત્તા’ કાવ્યમાં બહેને જોયેલું ભાઈનુ ભાવી તમારા શબ્દોમાં લખો.
પિતાએ પુત્રની લીધેલ કાળજી વિષે કાવ્યના આધારે વિગતો લખો.
સુદામાપત્ની સુદામાને શ્રીકૃષ્ણ પાસે જઈ દરિદ્રતા દુર કરવા માટે કયા ક્યાં દ્રષ્ટાંતો આપે છે તે સવિસ્તાર જણાવો.
‘ભવિષ્યવેતા’ શિર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.
‘એક જ દે ચિનગારી’ શિર્ષકની યથાર્થતા ચર્ચો.
ગવતરી લોકગીતનુ કથાવસ્તુ તમારા શબ્દોમાં વર્ણવો
‘સુદામાચરિત્ર’ કાવ્યમાં રજુ થયેલી સુદામાની દરિદ્રતા તમારા શબ્દોમાં વર્ણવો.