Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : હરિના દર્શન4 Marks
Question
“હરિના દર્શન' કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
✓
Answer
'હરિનાં દર્શન' કવિ ન્હાનાલાલનું સુંદર ભક્તિગીત છે. ન્હાનાલાલ ઉત્તમ ઊર્મિકવિ અને ડોલનશૈલીનાં સર્જક છે. કવિ આ ભક્તિગીતમાં ઈશ્વરની સર્વવ્યાપકતાની સામે મનુષ્યમાં રહેલી મર્યાદાને વર્ણવે છે. ઈશ્વર સમગ્ર સૃષ્ટિના અણુ અણુમાં રહેલા છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ તેનાં પદમાં $($અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ !'$)$ કહ્યું છે. કવિ કહે છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વરની કૃપા પણ જોઈએ . કવિ શરૂઆતમાં કહે છે કે મ્હારાં નયણાંની આળસને કારણે હરિના દર્શન થઈ શક્યા નહિ. આંખનો પલકારો ન માર્યો, ના હરિના દર્શનની ઝાંખી કરી, હૃદયમાં શોક-મોહનો અગ્નિ તપી રહ્યો છે એટલે સમગ્ર સૃષ્ટિના અણુએ અણુમાં જડને ચેતનમાં છવાયેલા પરમાત્માને જોઈ શકાતા નથી. કવિ વ્યક્તિમાં રહેલી મયર્દાને સ્પષ્ટ કરે છે. હરિએ ગગનમાં સદા છવાયેલા રહે છે. વાયુની જેમ વ્યક્તિનાં હૃદયમાં વહેતા રહે છે. સહેજ આંખ ખૂલતા સામે દર્શન આપે છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા પરમાત્મા કદીયે અળગા થતા નથી. ઘુવડ સો વર્ષ જીવે પણ તેને કદી પ્રકાશની દિવસની ખબર પડતી નથી. તેવી રીતે વ્યક્તિ પણ જો પોતાનામાં રહેલા પરમાત્માને ન ઓળખે તો હરિના દર્શન વિના જીવન પૂરું થઈ જાય છે. પરમાત્મા સાગર જેવા વિશાળ છે, નજરમાં સમાતા નથી એટલે આપણે હરિને વિરાટ કહીએ છીએ. પ્રભુના - હરિના દિવ્ય લોચનિયા ખુલે તો વ્યક્તિને હરિના દર્શન થઈ શકે છે. વ્યક્તિએ આળસ છોડી પ્રભુની એક ઝાંખી કરે તો હરિના દર્શન કરી શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.