Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ3 Marks
Question
કોષ્ટક-રચના એટલે શું ? તેના ઉપયોગો લખો.
✓
Answer
ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર કાર અને સ્તંભમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને કોષ્ટક રચના કહેવામાં આવે છે.
પ્રો. એલ. ઈ. કોનારના મતે કોષ્ટકરચના એટલે ‘‘સાંખ્યાકીય માહિતીને ક્રમબદ્ધ અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયા કે જેથી તેમાંથી સંશોધનના પ્રશ્ન ઉપર પૂરતો પ્રકાશ પાડી શકાય.”
કોષ્ટક રચનાના ઉપયોગો :
કોષ્ટક દ્વારા વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે.
કોષ્ટકમાં સંબંધિત માહિતી પાસપાસે મૂકવામાં આવતી હોવાથી તેમની સરખામણી સરળતાથી કરી શકાય છે.
કોષ્ટકમાં સ્તંભ અને હારની માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી શરતચૂકથી જો કોઈ ભૂલ રહી જવા પામી હોય, તો તે શોધી સરળતાથી સુધારી શકાય છે.
કોષ્ટકમાં માહિતીની ગોઠવણી આકર્ષક અને તાક્રિક રીતે થતી હોવાથી માહિતીના અભ્યાસ પ્રત્યે રસ પેદા થાય છે તેમજ માહિતી સરળતાથી યાદ રાખી શકાય છે.
કોષ્ટક-રચનાથી બિનજરૂરી તેમજ નકામી માહિતી દૂર કરી શકાય છે. તેથી માહિતીના અભ્યાસ માટેના સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે.
કોષ્ટક-રચનાથી માહિતીનું પૃથક્કરણ કરવાનું સરળ બને છે. ઉપરાંત માહિતીને સળંગ સૂત્રથી સમજવાનું સરળ બની રહે છે.
કોષ્ટક દ્વારા માહિતી સંબંધિત કેટલીક બાબતો આપોઆપ સ્પષ્ટ થાય છે તેથી માહિતીની સમજ માટે જરૂરી નોંધ કે વિગતો આપવાની આવશ્યકતા રહેતી નથી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.