‘ધાબાવાળાં’ પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતર નષ્ટ થયા, તળાવો સુકાયાં અને જંગલો ઘટ્યાં. આ બધાંની પક્ષીજગત પર માઠી અસર થઈ છે. શહેરોનાં કોંક્રીટનાં જંગલોમાં હવે ચકલી જોવા મળતી નથી. પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણે ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો ઊગાડવાં જોઈએ. પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તળાવો મોટાં થાય અને તેમાં બારેમાસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણા ઘરઆંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.