Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે $2^{\circ}$ જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે $0.02$ અને $0.03,$ અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ $........\,^{\circ}$ હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
નીચેની આકૃત્તિ અનુક્રમે $10 \mathrm{~cm}$ અને $15 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે દ્વિ-બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ દર્શાવે છે. $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર ........ થશે.
$1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
લેન્સથી $2.4\; m$ ના અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ લેન્સની પાછળ $12 \;cm$ અંતરે રહેલ પડદા પર મળે છે. $1\; cm$ જાડાઈની અને $1.5$ વક્રિભવનાંક ધરાવતી કાચની એક પ્લેટને લેન્સ અને પડદાની વચ્ચે, તેનું સમતલ પડદાને સમાંતર રહે તેમ મૂકવામાં આવે તો હવે વસ્તુ લેન્સથી કેટલે દૂર ખસેડવી પડે કે જેથી તેનું પ્રતિબિંબ પડદા પર ઝિલાય?
પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
$X-Y$ સમતલને બે પારદર્શક માધ્યમો $M_1$ અને $M_2$ ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. $M_1$ ને $Z \geqslant 0$ માટે $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક અને $M _2$ ને $Z < 0$ માટે $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક છે. $M _1$ માં $\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}$ સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. $M_1$ માં આપાતકોણ અને $M_2$ માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત $.................$ ડીગ્રી થશે.
કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $f_2$ , વક્રીભવનાંક $\mu_2$ અને વક્રતાત્રિજ્યા $R$) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ $f_1$, વક્રીભવનાંક $\mu_1$, અને વક્રતાત્રિજ્યા $R$) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે?
એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.