આભાસી પ્રતિબિંબ પ્રકાશનું એક કિરણપુંજ $20\,\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાના પાછળ $O $ બિંદુમાં દિશામાં કેન્દ્રિત થાય છે. જો બિંદુ $O$ એ અરીસાની $10\,\, cm$ પાછળ હોય, તો પ્રતિબિંબનું સ્થાન .....$cm$ અંતરે હશે.
એક $5\, cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતાં ટેલિસ્કોપને દૂર રહેલી વસ્તુ આગળ એવી રીતે કેન્દ્રિત કરેલો છે. આઈપીસ માંથી સમાંતર કિરણો નિર્ગમન પામે છે. જો ઓબ્જેક્ટિવ આગળ વસ્તુ $2°$ નો કોણ બનાવે ત્યારે પ્રતિબિંબની કોણીય પહોળાઈ .....$^o$ શોધો.
એક ખગોળીય દૂરબીનના વસ્તુકાચની કેન્દ્રલંબાઈ $100\, cm$ અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ $5\, cm$ છે. તારાનું અંતિમ પ્રતિબિંબ નેત્રકાચથી $25\, cm$ અંતરે જોવામાં આવે છે. દૂરબીનનો મોટવણી પાવર કેટલો છે ?
એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$ અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
એક બિંદુવત્ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
એક વસ્તુને પડદાથી $1.50\, m$ અંતરે મૂકેલ છે અને બહિર્ગોળ અરીસાને વચ્ચે મૂકવામાં આવતાં પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ ઉદ્દભવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
એક વાહનનો અરીસો $10 \,cm$ વક્રતા ત્રિજ્યાના નળાકાર અરીસાનો બનેલો છે. અને વક્રસપાટી પર લંબાઈ $10 \,cm$ છે. જો ચાલકની આંખ અરીસાથી દૂરના અંતરે હોય, તો દષ્ટિક્ષેત્ર રેડિયનમાં કેટલું છે?
એક સમઘન રૂમ અરીસાથી બનાવેલ છે.તળિયાના વિકર્ણ પર એક કીડી ગતિ કરે છે. ત્યારે બે અડકેલી દિવાલના અરીસામાં પ્રતિબિંબનો વેગ $10 cms^{-1}$ હોય,તો છતના અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
એક્રોમેટિક અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. તે $1:2$ વિભેદન પવારનો ગુણોતર ધરાવતા દ્રવ્યમાથી બનાવેલ છે. તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. તો
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $19$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $80cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $8$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $54cm$ છે. તો આઇપીસ $f_e$ અને ઓબ્જિેકિટવપીસ $f_o$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
કાચના સ્લેબ ($\mu = 1.5$) માં હવાના પરપોટાને એકબાજુથી જોતાં $6 \,\,cm$ ઉંડે અને બીજી બાજુથી જોતાં $4 \,\,cm$ ઉંડે દેખાય છે. તો કાચના સ્લેબની જોડાઈ ......$cm$ છે.
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે.જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
ગુરૂદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ પુસ્તક વ્યક્તિ $25\, cm$ ના અંતરે વાંચી શકે તેથી આંખના લેન્સ માટે ક્યા પાવરનો લેન્સ ઉપયોગ કરવો જોઈએ?
ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ...... છે?
ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યૂબની $105\, cm$ અને મેગ્નેફિકેશન પાવર સામાન્ય ગોઠવણ માટે $20 $ હોય તો તેની ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ થશે?
જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$ અને $\mu \, = \,\,\sqrt 2 $ વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?
જો બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\,\, cm $ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30\,\, cm$ હોય, તો સમતલીય બહિર્ગોળ લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે?
જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
દ્વિ બહિર્ગોળ પાતળો લેન્સ કાચ $(\mu = 1.50)$ નો બનેલો છે અને બંન્નેની વક્રતા ત્રિજ્યા $20\; cm $ છે. આપાત પ્રકાશનું કિરણ લેન્સની અક્ષને સમાંતર છે. લેન્સ તેનું $L\;cm $ એ એવી રીતે અભિસારી છે. જેથી $L=.........$
પદાર્થ પ્રારંભમાં સમતલ અરીસાથી $100\,\, cm$ દૂર છે. જો અરીસો પદાર્થ તરફ $10\,\, cm/s$ તરફ ગતિ કરે છે. ત્યાર બાદ $6\,\, s$ બાદ પ્રદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર .......$cm$ હશે.
પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
પ્રકાશનું કિરણ પ્રિઝમ પર $60°$ ના કોણે આપાત થાય છે અને પ્રિઝમનો વક્રીભવકોણ $30°$ છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30°$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમના વક્રીભવનાંકની કિંમત ......થશે.
ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
ફૂલથી $120cm$ અંતરે રહેલા પાણીમાં પ્રતિબિંબ પાડવા માટે અંર્તગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટવણી $16$ હોય,તો ફૂલ અને અરીસા વચ્ચેનું અંતર કેટલા .....$cm$ હશે?
બહિર્ગોળ લેન્સ કાચ ($\mu_g = 1.5$)નો બનેલો છે. જેની હવામાં કેન્દ્રલંબાઈ $4 \,cm$ છે. જો તેની પાણીમાં ($\mu_w = 1.33$) ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ....... $cm$ થશે?
બિંદુવત પદાર્થ $24 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર અરીસા તરફ ગતિ કરે છે. જ્યારે તે $60\,\, cm$ અંતરે હોય ત્યારે તેનો વેગ $9 \, cm/sec$ છે તે ક્ષણે પ્રતિબિંબનો વેગ શું હશે?
બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
બે લેન્સની કેન્દ્રલંબાઈ $+10\, cm$ અને $-15\, cm$ છે. ત્યારે તેમને એકબીજાને સંપર્કમાં રાખતાં બહિર્ગોળ લેન્સ તરીકે વર્તેં છે. તેનું વર્ણ વિપથન શૂન્ય છે તો વિભાજન પાવરનો ગુણોત્તર .......છે.
બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
રંગીન શબ્દ 'જાનીવાલીપીનારા ', ની ઉપર સમતલ કાચ રાખવામાં આવ્યો છે, જેમા અક્ષરનો રંગ સફેદ પ્રકાશમાં તેનાથી શરૂ થતા રંગ જેવો છે, સૌથી ઓછો ઊચો દેખાતો અક્ષર કયો છે ?
લાલ, પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક $1.5140, 1.5170$ અને $1.5318$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર અને બીજા પ્રિઝમ માટે લાલ, પીળા અને જાંબલીે રંગના વક્રીભવનાંક $1.6434, 1.6499$ અને $1.6852$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$ હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*