આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
બે આદર્શ કાર્નોટ એન્જિન $\mathrm{T}_{1}$ અને $\mathrm{T}_{2}$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન $\mathrm{T}_{1}$ અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન $\mathrm{T}_{2}$ છે. જો $T$ એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો $T$ નો $\mathrm{T}_{1}$ અને $\mathrm{T}_{2}$ સાથેનો સંબંધ શું થાય?
દઢ પદાર્થના બનેલા પાત્રમાં એક મોલ એકાપારિમાણ્વિય વાયુ ભરેલ છે. તેમાં રાખેલ $100\, \Omega$ ના અવરોઘમાંથી $1\, A$ નો પ્રવાહ $5$ મિનિટ સુઘી પસાર કરવામાં આવે છે.તો તેની આંતરિક ઊર્જામાં કેટલો $kJ$ ફેરફાર થાય?
એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
આદર્શ વાયુનો નમૂનો સમતાપી પ્રસરણમાંથી પસાર થાય છે, જો $d Q, d U$ અને $d W$ એ અનુક્રમે આપેલી ઉષ્માનો જથ્થો, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવે છે, તો.......
કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન $500\;K$ છે. જો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખવામા આવે અને કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે, તો ઠારણ વ્યવસ્થાનું જરૂરી તાપમાન ($K$ માં) કેટલું હશે?