Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ3 Marks
Question
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિનું મહત્વ સમજાવો.
✓
Answer
આકૃતિનો હેતુ આપેલી માહિતીને સરળ, અસરકારક અને રસપ્રદ રીતે રજૂ કરવાનો છે. આકૃતિએ માહિતીને આકર્ષક રીતે રજુ કરવાનું એક અસરકારક માધ્યમ પૂરું પાડે છે.
આકડાશાસ્ત્રના અભ્યાસમાં આકુતિના મહત્વનો ખ્યાલ તેના નીચે દર્શાવેલા ઉપયોગથી વધુ સ્પષ્ટ થાય છે:
$(1)$ આકર્ષક રજૂઆત :
સંખ્યાત્મક માહિતી કેટલીકવાર ગુંચવણભરી અને કંટાળાજનક બની રહે છે.
આકૃતિ દ્વારા થતી સંખ્યાત્મક માહિતીની ૨જૂઆત એવી આકર્ષક હોય છે કે જેથી માહિતીની લાક્ષણિકતાઓ તેનો અભ્યાસ કરનાર વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રહે છે.
$(2)$ સ્પષ્ટ રજૂઆત :
જે માહિતી કે વસ્તુ શબ્દો દ્વારા સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી તે આકૃતિ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે.
$(3)$ સંક્ષિપ્તમાં રજૂઆત :
આકૃતિ દ્વારા માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે.
જે માહિતીને સંખ્યાત્મક રીતે દર્શાવવા માટે અનેક પાનાની જરૂર પડે તેવી જટિલ માહિતી આકૃતિ દ્વારા ટૂંકાણમાં અસરકારક રીતે રજૂ કરી શકાય છે.
$(4)$ સરખામણી કરવામાં સરળતા :
બે કે તેથી વધુ સમુહ અથવા વ્યાપારી પેઢીની જદી જુદી બાબતોની સરખામણી સરળતાથી કરી શકાય છે.
$(5)$ સમયનો બચાવ :
આકૃતિ દ્વારા રજુ કરેલી માહિતીને સમજવામાં તેમજ યાદ રાખવામાં આંકડા દ્વારા ૨જૂ કરેલી માહિતી કરતાં ખૂબ ઓછો સમય જાય છે.
પરિણામે સમયનો બચાવ થાય છે.
$(6)$ નિરક્ષરો અને બાળકો માટે ઉપયોગી :
નિરક્ષરો ઓછું ભણેલો તેમજ બાળકો માટે આંકડાકીય માહિતી અર્થહીન સાબિત થાય છે.
તેમને માહિતી સમજાવવા માટે આકૃતિ એ જ એકમાત્ર અસરકારક સાધન છે.
$(7)$ વાણિજય અને ઉદ્યોગ ક્ષેત્રે ઉપયોગી :
ઉત્પાદકો અને વેપારીઓ સુયોગ્ય અને આકર્ષક આકૃતિના ઉપયોગથી તેમની ઉત્પાદિત વસ્તુની જાહેરાતનું કાર્ય અસરકારક બનાવી શકે છે.
$(8)$ સમાજ સુધારણા માટે ઉપયોગી :
સામાજિક સુધારાના અભિયાન માટે લોકમાનસ ઉપર અપેક્ષિત અસર ઉપજાવવામાં આકૃતિઓ વધુ અસરકારક બને છે.
$(9)$ સામાજિક શાસ્ત્રોમાં ઉપયોગી :
સામાજિક શાસ્ત્રો જેવા કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વસ્તીશાસ્ત્ર વગેરે જેવા વિષયોમાં મહત્વની બાબતોને સ્પષ્ટ કરવા માટે આકૃતિ અનિવાર્ય બને છે.
$(10)$ માહિતીની સમજ અને તારણ :
વિસ્તૃત સંખ્યાત્મક માહિતીને આકૃતિ દ્વારા ઝડપથી સંક્ષિપ્તમાં આકર્ષક અને અસરકારક રીતે દર્શાવી શકાય છે.
આકૃતિઓને ભાષાના બંધનો નડતાં નથી તેથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતી એકસરખી સમજ અને તારણ મેળવી શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.