Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર $d$ , પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ $C_0$ છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય $2K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક $\frac{1}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $2K$ અને બીજો $\frac{2}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $K$ થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ $C$ હોય તો $\frac{C}{{{C_0}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
એકસમાન રેખીય ઘનતા ધરાવતા તારથી $r_0$ અંતરે એક બિંદુવત ધન વિજભારને મુક્ત કરવામાં આવે છે.આ બિંદુવત વિજભારનો વેગ $(v)$ તાત્ક્ષણિક અંતર $r$ પર કેવી રીતે આધાર રાખે?
ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?
$2 {C}$ અને ${C}$ જેટલુ કેપેસીટર ધરાવતા બે કેપેસીટન્સને સમાંતરમાં જોડી $V$ જેટલા સ્થિતિમાનથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કરી $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $K$ જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ પણે ભરવામાં આવે છે. હવે કેપેસીટરનો સમાંતર સ્થિતિમાનનો તફાવત ............ થશે.
એકસમાન વિદ્યુતભાર $q$ અને $3a$ ત્રિજ્યા ધરાવતી રિંગને $x-y$ સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર $q$ રિંગ તરફ $z-$ દિશામાથી આવે છે જેનો $z = 4a$ એ વેગ $v$ છે.$v$ નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય?
$C =900\, pF$ સંઘારકતા ધરાવતા એક સંઘારકને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા અનુસાર $100\,V$ ની બેટરી $B$ વડે સંપૂર્ણ વિદ્યુતભારિત કરવામાં આવેલ છે. ત્યારબાદ તેનું બેટરીથી જોડાણ દુર કરી બીજા $C =900\,pF$ સંઘારકતા ધરાવતા સંપૂર્ણ અવિદ્યુતભારિત સંધારક સાથે આકૃત્તિ $(b)$ માં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. તંત્ર $(b)$ દ્વારા સંગ્રાહતી સ્થિતિવિદ્યુતઊર્જા $\dots\dots\times 10^{-6}\,J$ હશે.
એક નળાકારીય સંગ્રાહક આંતરિક અને બાહ્ય સુવાહકો ધરાવે છે. જેની ત્રિજ્યાઓ $10 : 1$ ગુણોત્તરમાં છે. આંતરિક વાહકને એક તાર વડે બદલવામાં આવે છે. જેની ત્રિજ્યા મૂળ વાહકની કરતાં અડધી હોય છે. પ્રથમ સંગ્રાહક જેટલી સમાન કેપેસિટિ મેળવવા માટે તારની લંબાઈ કેટલા ગુણોત્તરમાં વધારવી જોઈએ?