Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે $ 40 \;cm$ અને $ 4\; cm $ છે. ઓબ્જેકિટવથી $200 \; cm$ દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હોવું જોઇએ?
$2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$ વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
ટર્પેંનટાઈનની પ્રકાશીય ઘનતા પાણી કરતાં વધારે હોય છે. જ્યારે ની દળ ઘનતા ઓછી હોય છે. આકૃતિ પાત્રમાં પાણી ઉપર તરતું ટર્પેંનટ્ઈનનું સ્તર દર્શાવે છે. જેના માટે આકૃતિ મુજબ ટર્પેંનટાઈન પર ચારમાંથી એક કિરણ આપાત થાય છે. તો તે કિરણ સાચો પથ દર્શાવો.
$10\, cm$ નો નાનો પદાર્થ અરીસાના સામે રાખેલો છે. માણસ પદાર્થની પાછળ અરીસાથી $30\, cm$ દૂર ઊભો રહી પદાર્થના પ્રતિબિંબને જુએ છે. તે પ્રતિબિંબ પર કેટલા.......$cm$ અંતરે પોતાની આંખો કેન્દ્રિત કરે છે.
ક્રાઉન ગ્લાસના પાતળા પ્રિઝમના વક્રીભવનાંક્નો આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથેનો સંબંધ દર્શાવેલ છે. જો $ D_m$ એ લઘુત્તમ વિચલન છે, તો નીચેમાંથી ક્યો આલેખ સાચો છે?
$1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?