Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર3 Marks
Question
ટૂંક નોંધ લખો: પીર
✓
Answer
સૂફીવાદના મતે ધર્મ એટલે 'ઈશ્વર પ્રત્યેનો પ્રેમ' અને 'માનવતાની સેવા'. સમયાંતરે સૂફી સંતો વિવિધ સિલસિલા (શ્રેણીઓ) માં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર (માર્ગદર્શક) હતા. તે 'ખ્વાજા' અને 'શેખ' તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને 'મુરીદ' તરીકે પણ ઓળખવામાં આવતા. અજમેરના અગ્રગણ્ય સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી ભારતીય પીર સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયનો પ્રારંભ કર્યો હતો. તેઓ 'ઓલિયા' અને 'ખ્વાજા'થી પ્રખ્યાત બન્યા હતા. ગુજરાતમાં અહેમદ ખટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.