Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો5 Marks
Question
ટૂંક નોંધ લખો: રાજપૂતયુગનો વેપાર-વાણિજ્ય
✓
Answer
$(1)$ રાજપૂતયુગમાં રાજ્યની વેપાર-વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. $(2)$ આ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. $(3)$ એ સમયે જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર 'ભાગ' નામથી ઓળખાતો હતો. $(4)$ રાજપૂતયુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાનાં થાણાં પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.