એક પાતળા સળિયા $MN$ ના છેડા $N$ ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે $\alpha $ નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા $M$ નો વેગ કેટલો હશે?
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લાંબા સમક્ષિતિજ સળિયા પર તેની લંબાઈને અનુરૂપ ગતિ કરતો મણકો રાખેલો છે, પ્રારંભમાં મણકાને સળિયાના એક છેડા $A$ થી $L$ અંતરે રાખેલો છે. સળિયાને છેડા $A$ ની ફરતે અચળ કોણીય પ્રવેગ $\alpha$ થી કોણીય ગતિ કરવવામાં આવે છે. જો સળિયા અને મણકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ ને અવગણીએ તો મણકો કેટલા સમય પછી સળિયા પર દડશે?
$m $ દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે $m$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
એક કણ સ્થિર સ્થિતિમાથી $\theta = 0.025{t^2} - 0.1t$ મુજબ ગતિ કરવાનું ચાલૂ કરે છે જ્યાં $\theta $ radian માં અને $t \,seconds$ માં છે તો કણ નો કોણીય પ્રવેગ કેટલો થાય $?$
એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\sigma (r) = kr^2$ મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
$l$ લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે $m_1 $ અને $m_2$ દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા $1 \;m$ લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે $5\, kg$ અને $10\, kg$ દ્રવ્યમાનના કણો જોડેલ છે. $5\, kg$ ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે ($m$ માં) હશે?