એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\sigma (r) = kr^2$ મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ સમક્ષિતિજ સમતલ તેના કેન્દ્રમાથી પસાર થતી શિરોલંબ અક્ષને અનુલક્ષીને નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. કોઈ ક્ષણે $m$ દળના ઘટ્ટ પ્રવાહીને તેના કેન્દ્ર પર પાડતા તે ફેલાઈને નીચે પડે છે. આ દરમિયાન તેનો કોણીય વેગમાં શું થશે?
$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _1$ છે. આ નળાકારમાંથી $R^{\prime}=\frac{R}{2}$ ત્રિજ્યા અને $L^{\prime}=\frac{L}{2}$ લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા $I _2$ હોય, તો $\frac{I_1}{I_2}=...........$ (બંને $I _1$ અને $I _2$ નળાકારની અક્ષને અનુલક્ષીને છે)
એક પાતળી લાકડાની ઘન તક્તિમાંથી $ABC$ સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે (આકૃતિ જુઓ). $D, E$ અને $F$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની બાજુના મધ્યબિંદુઓ છે અને $G$ એ ત્રિકોણનું કેન્દ્ર છે. ત્રિકોણના સમતલને લંબ અને $G$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ત્રિકોણની જડત્વની ચાકમાત્રા $I_o$ છે. જો $ABC$ માંથી નાનો ત્રિકોણ $DEF$ કાઢી નાખવામાં આવે તો બાકી રહેલ આકૃતિ માટે આ જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ થતી હોય તો
ગોળાકાર પ્લેટફોર્મને ઘર્ષણ રહિત શિરોલંબ ધરી પર જડેલ છે. તેની ત્રિજ્યા $R=2\,m$ અને તેની ધરીને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $200\,kgm^{2}$ છે. તે શરૂઆતમાં સ્થિર છે. $50\,kg$ દળનો વ્યક્તિ આ પ્લેટફોર્મની ધાર પર ઊભો છે અને ધાર પર $1\,ms^{-1}$ના વેગથી જમીનની સાપેક્ષે ચાલવાનું શરૂ કરે છે. આ વ્યક્તિ દ્વારા એક ભ્રમણ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે?
આપેલા ચાર આકાર માટે બધાની ઊંચાઈ, મહત્તમ જાડાઈ અને દળ સમાન હોય તો તેમના દ્રવ્યમાનકેન્દ્રને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કોના માટે મહત્તમ હશે ?
$20\ kg$ દળનું ઘન નળાકાર તેની અક્ષની આસપાસ $100\ rad. s^{-1}$, ની કોણીય ઝડપથી ગતિ કરે છે. નળાકારની ત્રિજ્યા $0.25\ m$ છે. નળાકારની અક્ષ પર તેનું કોણીય વેગમાનનું મૂલ્ય ........ $joule/second$ થશે.
$10\ kg $ દળ અને $ 50\ m $ ની ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતી તકતી પર $10^5\ [N - m]$ નું બળ યુગ્મ લગાડવામાં આવે છે. કોણીય પ્રવેગની કિંમત $rad/sec^2$ માં કેટલી થશે ?
$2\ kg$ દળ અને $ 0.2\ m $ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $ 0.5\ kg$ દળનો કણ $ 5 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો કણ અથડાયા બાદ કોણીય વેગ ......... $rad/s$ શોધો.
$R$ ત્રિજ્યા અને $9M$ દળની વર્તુળાકાર તકતીમાંથી સમકેન્દ્રિય રહેલ $\frac{R}{3}$ ત્રિજ્યા અને $M$ દળની નાની તકતીને દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તકતીના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?