Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $ છે. જો પ્રતિબિંબ ચત્તુ (આભાસી)હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન ....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્ પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
ધારો કે બે પારદર્શક માધ્યમોને $x - z$ સમતલથી અલગ કરવામાં આવ્યા છે. $Z \geq 0$ માટે માધ્યમ $1$ નો વક્રીભવનાંક $\sqrt{2}$ અને $z <0$ માટ માધ્યમ $2$ નો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. પ્રકાશનું કિરણ આ સમતલ પર આપાત થાય છે. જેનું સમીકરણ $\vec{ A }=6 \sqrt{3} \hat{ i }+8 \sqrt{3} \hat{ j }-10 \hat{ k }$ છે. માધ્યમ $-2$ માં આ કિરણ કેટલાના ખૂણે વક્રીભૂત થશે?
$1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
એક કાચના લંબ ચોરસ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર રહેલા છાપેલા કાગળ પર મૂકેલો છે. તો કાચનો ન્યૂનત્તમ વક્રીભવનાંક શોધો કે જેના માટે બ્લોકની કોઈ પણ શિરોલંબ બાજુ પરથી કાગળ પરના અક્ષરો દેખાય નહીં
એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?
$X-Y$ સમતલને બે પારદર્શક માધ્યમો $M_1$ અને $M_2$ ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. $M_1$ ને $Z \geqslant 0$ માટે $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક અને $M _2$ ને $Z < 0$ માટે $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક છે. $M _1$ માં $\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}$ સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. $M_1$ માં આપાતકોણ અને $M_2$ માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત $.................$ ડીગ્રી થશે.