Question
તારું-મારું ગઝલનું વક્તવ્ય સ્પષ્ટ કરો.

Answer

મારું-તારું' ગઝલમાં કવિએ જીવનમાં સાચો આનંદ -સહિયારાપણાની ભાવનામાં છે એ વ્યક્ત કર્યું છે. વ્યક્તિએ જીવનમાં 'હુંપણું' - સ્વાર્થની ભાવનાથી દૂર રહીને પરમાર્થની ભાવના વિકસાવવી જોઈએ. આપણે જીતીએ એમાં તો ખુશી આનંદ છે પણ બીજાંને જીતતાં જોઈ આપણી હાર થાય તો પણ આનંદ હોવા જોઈએ. નાના બાળકનાં ઇટ્ટા-કિટ્ટા એક ઘડીનાં હોય છે પછી તરત જ સાથે રમવા લાગે છે. તેમ આપણે પણ જીવનમાં કોઈ જોડે અબોલા ન લેવા. હસતાં-રમતાં જીવન પસાર કરવું એજ જીવનની સાચી ખુશી છે. આપણું જીવન એ પ્રભુના હાથનું રમકડું છે. જ્યાં સુધી એની દોર પ્રભુના હાથમાં છે ત્યાં સુધી એ ચાલતું રહેશે. તો આવા અમૂલ્ય જીવનને એકબીજા સાથે હસતાં રમતાં ગીતો લલકારી આનંદભર્યું બનાવીને જીવવાની વાત કંવિએ કાવ્યમાં કરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“એ લોકો' કાવ્યનો ભાવાર્થ સમજાવો.
આભાર સોનેટનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
એ લોકો' કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો.
હરિ આવો ને' કાવ્યમાં (ગીતમાં) હરિને રીઝવવા ભક્તની પોતાની જાત સંપૂર્ણ સમર્પિત થયેલ છે - આ કેવી રીતે અનુભવાય છે ?
'આભાર' કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિપ્રેમ તમારા શબ્દોમાં લખો.
‘તો જાણું' કાવ્યમાં વ્યક્ત થયેલો કૃપ્ણ-ગોપીનો પ્રેમ વર્ણવો.
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે ?
'ગોકુળમાં આવો તો' કૃતિમાં રાધા કૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે ?
આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે ?
સ્વાર્થી અને શોષણખોર લોકો કટાક્ષ કાવ્યના આધારે લખો.