Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$24 {a}$ લંબાઈ અને ${R}$ અવરોધ ધરાવતા વાહક તારમાંથી $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ $a$ બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને ${V}_{0}$ વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1: \sqrt{y}$ થાય છે જ્યાં $y$ કેટલો હશે?
$800\, mV$ ની રેન્જ અને $40 \,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરને $100\, mA$ રેન્જ ધરાવતા ગેલ્વેનોમીટરમાં ફેરવવા માટે તેની સાથે કેટલા $\Omega $ નો શંટ અવરોધ જોડાવો પડે?
બે લાંબા $8\,A$ અને $15\,A$ વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી $7\,cm$ ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ $P$ એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો $P$ બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $............\times 10^{-6} T$ છે. $\left(\sqrt{2}=1.4\right)$ આપેલું છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $xy$ સમતલમાં બે લાંબા અને અવાહક તારને $90^o$ ના ખૂણે મૂકેલા છે.આ તારમાંથી સમાન મૂલ્યનો પ્રવાહ $I$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં પસાર થાય છે. $P$ બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
આકૃતિ મુજબ $d$ જેટલી સમાન લંબાઈ એ સમાન અવરોધ ધરાવતા વાયરોથી એક ધન બનાવવામાં આવેલ છે અને તેમાં સ્થિર પ્રવાહ પસાર થાય છે. આ રચનાના કારણે તેના કેન્દ્ર $p$ માં ચુંબકીય ક્ષેત્ર શું હશે?
$R$ ત્રિજ્યાની અવાહક તકતી પર $Q$ વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને તકતી $\omega$ જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જેને કરાણે તકતીના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. હવે જે વિદ્યુતભાર અને કોણીય ઝડપને અચળ રાખીએ અને તકતીની ત્રિજ્યાને બદલાતી લઈએ તો તક્તીના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ નીચેના પૈકી કઈ આકૃતિ પ્રમાણે બદલાશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ $I$ પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર $B$ પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
જ્યારે બે ગુંચળામાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારે તેના કેન્દ્ર પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યાનો ગુણોતર $8 : 15$ હોય,તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે ?