$A$ ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક $K = 4$ ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્લેટોવાળા કેપેસીટરને વિદ્યુતભાર કરેલ નથી અને તેની પ્લેટો વચ્ચે $K$ જેટલો અચળાંક ધરાવતી ડાઈ ઈલેક્ટ્રીક રાખેલ છે, તેને તેવા જ એક કેપેસીટર કે જેની પ્લેટો વચ્ચે માત્ર હવા જ છે તેની સાથે $V$ જેટલા સ્થિતિમાનના તફાવતે જોડેલ છે.જો બંને કેપેસીટરો સમાન વિદ્યુતભાર વહેંચતા હોય અને સમાન સ્થિતિમાનના તફાવતે જોડેલ છે. જો બંને કેપેસીટરો સમાન વિદ્યુતભાર વહેંચતા હોય અને સમાન સ્થિતિમાન $V$ હોય, તો ડાઈઈલેક્ટ્રીક અચળાક $K$ નું મુલ્ય કેટલું થશે ?
બે ધાતુના ટુકડાઓના સ્થિતિમાનનો તફાવત $800\,V$ છે અને તે $0.02\, m$ સમક્ષિતિજ અંતરે આવેલ છે. $1.96 \times 10^{-15}\, kg$ દળનો એક કણને પ્લેટો વચ્ચેના સંતુલનમાં મુક્ત કરવામાં આવે છે. જો $e$ એ મૂળભૂત વિદ્યુતભાર હોય તો કણ પરનો વિદ્યુતભાર ....... છે.
બે એકસમાન સંઘારકોને(કેપેસીટર) પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ બે કિસ્સાઓમાં સમતુલ્ય સંઘારક્તાઓનો(કેપેસીટન્સ) ગુણોત્તર .......... હશે.
$2a$ બાજુવાળા ચોરસની એક બાજુના છેડાઓ આગળ $'q'$ મૂલ્યનો બે ધન વિદ્યુતભારો મૂકેલા છે. બે સમાન મૂલ્યના ઋણ વિદ્યુતભારોને બીજા ખૂણાઓ પર મૂકેલા છે. સ્થિર સ્થિતિથી શરૂ કરીને જો વિદ્યુતભાર $Q$ એ બાજુના $1$ ના મધ્યબિંદુએથી ચોરસના કેન્દ્ર સુધી ગતિ કરે તો ચોરસના કેન્દ્ર આગળ તેની ગતિ ઊર્જા ........ છે.
એક નળાકારીય સંગ્રાહક આંતરિક અને બાહ્ય સુવાહકો ધરાવે છે. જેની ત્રિજ્યાઓ $10 : 1$ ગુણોત્તરમાં છે. આંતરિક વાહકને એક તાર વડે બદલવામાં આવે છે. જેની ત્રિજ્યા મૂળ વાહકની કરતાં અડધી હોય છે. પ્રથમ સંગ્રાહક જેટલી સમાન કેપેસિટિ મેળવવા માટે તારની લંબાઈ કેટલા ગુણોત્તરમાં વધારવી જોઈએ?
સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટી $5\ \mu F$ છે. જ્યારે કાચની પ્લેટને કેપેસિટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે, ત્યારે તેનો સ્થિતિમાન મૂળ કિંમત કરતાં $1/8$ ભાગ જેટલો બને છે, તો ડાઈ ઈલેકટ્રીક અચળાંકની કિંમત કેટલી થાય ?