Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\alpha {/^o}C$ રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી $L$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ $F$ લગાવી તેનું તાપમાન $\Delta T\, K$ કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ $Y$ કેટલો હશે?
એક સળિયાના બે છેડા પર તાપમાન $20^oC$ છે .સળિયાના દ્રવ્ય માટે રેખીય પ્રસરણનો અચળાંક $1.1 \times {10^{ - 5}}/^\circ C$ અને યંગ મોડ્યુલસ $1.2 \times {10^{11}}\,N/m$ છે. જ્યારે સળિયાનું તાપમાન $10^oC$ થાય ત્યારે તેમાં ઉત્પન્ન થયેલું પ્રતિબળ કેટલું હોય ?
એક તાર જેના આડછેડનું ક્ષેત્રફળ $4 \;mm^2$ છે તેના પર વજન લટકાવતા તેની લંબાઈમાં $0.1 \,mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાંથી બનાવેલા તાર જેની લંબાઈ પહેલા તાર જેટલી પરંતુ આડછેડનું ક્ષેત્રફળ $8 \;mm^2$ હોય તેના પર સમાન બળ લગાવતા તેની લંબાઈ ......... $mm$ વધે.
$14\,mm$ વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ $m$ ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ $7 \times 10^5\,Nm ^{-2}$ છે. દળ $m$ નું મૂલ્ય .......... $kg$ છે. ($g =9.8\,ms ^{-2}$ and $\left.\pi=\frac{22}{7}\right.$ લો.)
એક માણસ વિશાળકાય માણસ તરીકે એવી રીતે વધે છે,કે એનું રેખીય પરિમાણ $9$ ગણું વધે છે.જો એવું માનવામાં આવે કે એની ઘનતામાં કોઇ ફેરફાર થતો નથી તો એના પગમાં થતા પ્રતિબળના ફેરફાર કેટલા ગણા હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું, બે અર્ધવર્તુળ ભાગોમાંથી બનેલું છે. આ બંને ભાગને ધાતુની એક રીંગ વડે સાથે જોડેલ છે. રીંગના આડછેડનું ક્ષેત્રફળ $S$ અને લંબાઈ $L$ છે. $L$ એ $2 \pi R$ કરતાં નાનું છે. તેથી રીંગને પૈડા પર ફીટ કરવા માટે ગરમ કરવા $T$ જेટલું તાપમાન વધારવામાં આવે છે. જેથી તે પૈડા પર માત્ર ગોઠવાઈ જાય છે. જ્યારે તેને ઓરડાના તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે ત્યારે તે અર્ધવર્તુળ પैડાના ભાગોને એકબીજા સાથે દબાણથી જોડી દે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલ્સ $Y$ હોય તો પैડાના એક ભાગ દ્વારા બીજા ભાગ પર કેટલું બળ લાગતું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $10^5\,N$ બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ $10\,cm$ છે.ઉપરની બાજુને સમાંતર રીતે $0.5\,cm$ ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $20\,cm$ બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... $cm$ સ્થાનાંતર થાય.