લંબાઈ $L$ અને દળ $8\,m$ ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો $m$ અને $2\,m$ સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે $2v$ અને $v$ વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે $\frac{L}{3}$ અને $\frac{L}{6}$ અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે દર્શાવ્યા પ્રમાણે ' $a$ ' વ્યાસ ની એક વર્તુળાકાર પ્લેટને $a$ બાજુ ની એક ચોરસ પ્લેટ સાથે સંપર્કમાં મુકવામાં આવે છે. બધી જ જગ્યાએ પદાર્થ ની ઘનતા અને જાડાઈ બધેજ સમાન છે. સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
$100\,kg$ દળનો માણસ એ $200\,kg$ ના પ્લેટફોર્મ પર ઉભો છે. જે સૂવાળી બરફની સપાટી પર છે. જો માણસ પ્લેટફોર્મ પર $30\,m / s$ ના વેગથી ગતિ કરે છે, તો $..........m/s$ વેગથી પ્લેટફોર્મ એ બરફની સાપેક્ષમાં પાછુ ખસશે.
તકતીની $R_1$ અને $R_2$ આંતરીક અને બાહ્ય ત્રિજ્યા છે. તે અચળ કોણીય ઝડપ થી સરક્યા વિના ગબડે છે. રિંગના અંદર અને બહારના ભાગ પર રહેલા બે કણો દ્વારા અનુભવાતા બળનો ગુણોત્તર $F_1$/$F_2$ શું થશે ?
એક ઢોળાવ યુક્ત્ત સમતલ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. એક નક્કર ગોળો આ ઢોળાવ યુક્ત સમતલ પર સ્થિર સ્થિતિમાંથી સરક્યાં વિના નીચે ગબડ છે ત્યારે તેનો રેખીય પ્રવેગ ........ બરાબર હશે.
એક પૈડાને $1000\ N-m$ નું ટોર્ક આપતા તે તેના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ $200\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. તો $3 $ સેકન્ડ પછી પૈડાનો કોણીય વેગ $=$ ......... $\ rad/s$
ચક્ર તેની અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. અક્ષ પર ઘર્ષણના કારણે તેનો કોણીય પ્રતિપ્રવેગ તેના કોણીય વેગના સમપ્રમાણ છે. $n$ પરિભ્રમણમાં તેનો કોણીય વેગ અડધો થાય, તો તે વધારાના કેટલા પરિભ્રમણ કરીને સ્થિર થશે?