સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે બાજુ $A$ અને $A'$ આડછેદની ક્ષેત્રફળ ધરાવતી નળી માથી પાણી વહે છે જ્યાં આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $A/A'=5$. જો નળીના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત $3 \times 10^5\, N\, m^{-2}$ હોય તો નળીમાં પાણી .......... $m s^{-1}$ ના વેગથી પ્રવેશ કરે?(ગુરુત્વાકર્ષણની અસરને અવગણો)
પાણીની ટાંકીના તળિયા થી એક પત્થર ને ઉપર તરફ શિરોલંબ દિશામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. પાણીના અવરોધને અવગણતા તે ઉપર તરફ અને નીચે તરફ સરખા સમયમાં જાય છે પરંતુ જો પાણીના ખેચાણની હાજરીમાં તેને ઉપર તરફ જતાં લાગતો સમય $t_{up}$ અને નીચે તરફ જતાં લાગતો સમય $t_{down}$ હોય તો તે બંને વચ્ચેનો સંબંધ શું થાય?
એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે $10\,cm ^2$ આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી $20\,m / s$. ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ $......\,N$ હશે.[પાણીની ધનતા : = $1000\,kg / m ^3$ આપેલ છે.]
તરલનો શ્યાનતા ગુણાંક $0.02$ ધરાવતા તરલને $20 \,m ^2$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કન્ટેનરમાં ભરવામાં આવે છે. શ્યાનતાબળ બે સ્તરો વચ્ચે $1 \,N$ જેટલું હોય તો વેગ પ્રચલન ......... $s^{-1}$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.
એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને $P$ પાસ્કલ દબાણ હોય ત્યાં $v\;ms^{-1}$ વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ $\frac{ P }{2}$ હોય ત્યાં તેનો વેગ $V\;ms^{-1}$ છે. જો પ્રવાહીની ઘનતા $\rho\, kg\, m ^{-3}$ અને પ્રવાહ ધારારેખી હોય તો $V$ કેટલો હશે?
લોહી ચઢાવવાની એક પ્રક્રિયામાં સોય $2000\, Pa$ ગેજ દબાણ હોય તેવી શિરામાં દાખલ કરેલ છે. લોહીભરેલું પાત્ર કેટલી ઊંચાઈએ મૂકવું જોઈએ કે જેથી લોહી શિરામાં દાખલ થવાની શરૂઆત થાય ? (સંપૂર્ણ લોહીની ઘનતા $\rho=1.06 \times 10^{3} \;kg m ^{-3}$)