Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
$R$ $-$ $C$ પરિપથમાં ઉદગમના વૉલ્ટેજ $10\, V$ અને કેપેસિટરનાં વૉલ્ટેજ $8 \,V$ છે. તો અવરોધ $R$ વચ્ચેનો વૉલ્ટેજ અને પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે?
$62.5\,nF$ જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક $L C R$ શ્રેણી પરિપથને $2.0\,kHz$ ની આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય $........mH$ થશે. ( $\pi^2=10$ લો.)
$LCR$ શ્રેણી પરિપથને $sin$ વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય $283\, V$ ધરાવતા અને $320/s$ ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં $R\, = 5\,\Omega $ , $L\,= 25\, mH$ અને $C\, = 1000\, \mu F$ છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે?