અર્થ જે પૂછે છે તે માણસ પંડિત થાય છે.
સમજૂતીઃ કેટલાક માણસો પોતાને ન સમજાય તો બીજાને પૂછતાં સંકોચ અનુભવે છે, શરમાય છે. તેઓ આગળ વધી શકતા નથી.
કોઈ આપણને ભલે મૂર્ખ સમજે, પણ આપણે આપણને ન સમજાય તે સમજવા તે બાબતની જાણકારી જેની પાસે હોય તેને વિના સંકોચે || પૂછવું જોઈએ. ઘડીભર મૂર્ખ બની જવું, પણ જિંદગીના મૂર્ખ ન રહેવું. પૂછતા રહેવાથી આપણે આગળ વધી શકીએ છીએ.