ચોક્કસ તાપમાને પાણીનુ બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ છે. તેમાં વિધુતઅવિભાજ્ય પદાર્થ ઉમેરતા તેમાં $300\, N\, m^{-2}$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની મોલાલિટી ............. $\mathrm{m}$ થશે.
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$ છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$ $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$ ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
$KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$ દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
$1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
જો $293\,K$ એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$ લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$ એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$ બાર.