Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ની તકતીમા $R$ વ્યાસવાળું છિદ્ર કાપવામાં આવે છે; છિદ્રનો પરિઘ તકતીના કેન્દ્રમાથી પસાર થાય છે. તો તકતીને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના બાકી રહેલા ભાગ ની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?
એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
$m $ દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે $m$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે ${I}_{1}$ અને ${I}_{2}$ છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_{1}$ અને $\omega_{2}$ છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?